રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે બે લાખ વેક્સીન ડોઝની માંગણી કરી
ગોકળગતિએ ગુજરાતમાં સ્પીડ પકડતાં કોરોના વાયરસના કેસોની સંખ્યાં
ગરવી તાકાત, ગાંધીનગર તા. 04 – ગુજરાત સહિત દેશભરમાં કોરોના માથુ ઉંચકી રહ્યું છે. એક તરફ ગુજરાતમાં ફુલીફાલી રહ્યો છે, ત્યાં ગુજરાતમાં સરકારી દવાખાનાઓમાં વેક્સીનનો એકપણ ડોઝ સ્ટોકમાં નથી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે વેક્સીન ડોઝની માગણી કરી છે. રાજ્ય સરકારે 2 લાખ જેટલા વેક્સીનની ડોઝની માગણી કરી છે. પરંતુ ઉપલબ્ધતાના આધારે કેન્દ્ર સરકાર વેક્સીનનો જથ્થો ફાળવશે. ત્યારે આ જથ્થો ક્યારે આવે તે ખબર નથી.
કોરોના વેક્સીનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સરકારી દવાખાનાઓમાં વેક્સીનનો એક પણ ડોઝ ઉપલબ્ધ નથી. રાજ્ય સરકાર પાસે વેક્સીનની ઉપલબ્ધતા ઝીરો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે 2 લાખ વેકસીન ડોઝની માંગણી કરી છે. ઉપલબ્ધતાના આધારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને વેકસીનનો જથ્થો ફાળવશે. કોરોનાની સ્થિતિ હળવી થતા રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી વેક્સીનનો જથ્થો ફાળવવામાં નથી આવ્યો. વેક્સીન ઉત્પાદન કરતી કંપનીઓએ પણ પ્રોડકશન ઓછું કર્યું હોવાના કારણે તંગીની સ્થિતિ ઉદભવી છે.
મહત્વનું છે કે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જતાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને વેક્સીનનો જથ્થો આપવાનું બંધ કર્યુ હતું. તો વેક્સીન ઉત્પાદન કરતી કંપનીઓએ પણ પ્રોડક્શન ઘટાડતાં વેક્સીનની તંગી સર્જાઈ છે. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરી તેની જરૂરિયાત ઉદભવી છે.
રાજકોટમાં વધતા જતા કોરોના સંક્ર્મણ સામે વેક્સીનનો એક પણ ડોઝ ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં માત્ર 22% લોકોએ જ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો છે. રાજકોટ પાલિકા દ્વારા સરકાર પાસે વેક્સીનની માંગ કરવામાં આવી છે. વેક્સીનનો જથ્થો આવ્યા બાદ જ વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ રાજકોટ શહેરમાં 140 કોરોનાના એક્ટિવ કેસ છે, જે પૈકી 2 દર્દી સારવાર હેઠળ છે તેવુ આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાંણીએ જણાવ્યું.