ખીલાડી કુમારની ફિલ્મ “પૃથ્વીરાજ” રીલિઝ પહેલા જ વિવાદમાં ફસાઇ

શેર કરવા અહીં ક્લિક કરો.

ફિલ્મ પૃથ્વીરાજ વિવાદઃએક તરફ ચાહકો ખૂબ જ ખુશ છે અને બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની રાહ જાેઈ રહ્યા છે. જ્યારથી ફિલ્મની પોસ્ટર અને ટીઝર સામે આવ્યું છે ત્યારથી તેની ઉત્સુકતા વધી ગઈ છે. જાે કે જ્યારથી ફિલ્મનું ટીઝર સામે આવ્યું છે ત્યારથી એક વિવાદ ઉભો થયો છે અને સમાજના એક નહીં પરંતુ બે લોકોએ તેના પર વાંધો ઉઠાવ્યો છે. આ ટીઝર આવ્યા બાદ રાજપૂત તેમજ ગુર્જર સમાજે વાંધો ઉઠાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ ઐતિહાસિક ફિલ્મને લઈને વિવાદ થયો હોય. આ પહેલા પણ રણવીર સિંહ અને દીપિકાની ફિલ્મ પદ્માવતી અને જાેધા અકબરને લઈને જાેરદાર વિવાદ થયો છે. આવી સ્થિતિમાં આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ પર ચાલી રહેલા વિવાદમાં ફિલ્મને કેટલું નુકસાન થશે તે જાેવું રસપ્રદ રહેશે.


જ્યારથી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નો ફર્સ્‌ટ લૂક સામે આવ્યો છે, ગુર્જર તેમજ કરણી સેનાએ તેના પર ભારે વાંધો ઉઠાવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે અને યશ રાજ ફિલ્મ નિર્માતાઓને પહેલાથી જ ચેતવણી આપવામાં આવી છે. આ ફિલ્મ સાથે જાેડાયેલા કલાકારોને કરણી સેના તેમજ ગુર્જરો દ્વારા ધમકી આપવામાં આવી છે અને કહ્યું છે કે જાે ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવશે તો તેમને ભારે નુકસાન સહન કરવું પડશે.

યશ રાજના બેનર હેઠળ બનેલી અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ પર કરણી સેના અને ગુર્જરોનું કહેવું છે કે જે ટીઝર સામે આવ્યું છે તેમાં ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના ટાઈટલ સામે વાંધો છે, કારણ કે આટલી મોટી અને મહાન યોદ્ધાનું સંપૂર્ણ સન્માન થતું નથી. આપને જણાવી દઈએ કે, મીડિયા સાથે વાત કરતા કરણી સેનાના પ્રમુખે કહ્યું કે, તેમને ફિલ્મના ટાઈટલ સામે વાંધો છે, કારણ કે તેમાં માત્ર પૃથ્વીરાજનું નામ છે. જ્યારે ફિલ્મનું નામ પૃથ્વીરાજ ચૌહાણ હોવું જાેઈએ, જેથી કરીને અમે તેમને સંપૂર્ણ સન્માન આપી શકીએ”

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.