ચાંદીપુરા વાયરસ શું ગુજરાતમાં કોરોના જેવા દોહા’ડા દેખાડશે? રાજકોટમાં 5ના મોત

July 19, 2024

ગરવી તાકાત, ગાંધીનગર તા. 19 – ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટમાં ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે અને 5 બાળકોના મૃત્યુ થયા છે. સાથે શંકાસ્પદ કેસોના સેમ્પલ લઈને પુણે અર્થ લેબોરેટરીમાં મોકલાયા છે.

Coronavirus

 

 

 

 

 

 

 

 

 

રાજકોટ જિલ્લાના જેતપુરના તત્કાલ ચોકડી નજીક વાડી વિસ્તારમાં એમપીથી મજૂરી અર્થ આવેલ પરિવારના કાળું ચંપુલાલ નામના 8 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત થતા જેતપુર આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને વાડી વિસ્તારમાં જ્યાં એમપિનો પરિવાર વસવાટ કરતો હતો ત્યાં સ્થળ ઉપર દવા નો છંટકાવ અને સર્વની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

માખીનો ઉપદ્રવ સાથે લક્ષણો ન ફેલાય તે માટે પણ કામગીરી કરવામાં આવી હતી. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સ્વચ્છતા, સાથે કાચા પાકા મકાનો હોય તો ત્યાં તિરાડ પણ પુરી દેવી જોઈએ જેથી કરીને માખીઓ ત્યાં ઈંડા ન મૂકે અને અન્ય કોઈને કરડે નહિ તેવી પણ સૂચના આપી હતી. સાથે એમપીના પરિવારના 8 વર્ષીય બાળકના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ બાળકના મોતનું સાચું કારણ આવશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0