કરજણના ધમાણાજા ગામમાં ખોડિયાર માતાના મંદિરે અનેરા અવસરનું આયોજન કરવામાં આવ્યું !

શેર કરવા અહીં ક્લિક કરો.

કરજણના ધમાણાજા ગામમાં ખોડિયાર માતાના મંદિરે એક અનેરા અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જતીન પરમાર “અભિગમ” આ વર્ષે મહા સુદ આઠમ ખોડિયાર જયંતિના દિવસે ત્યાં ધાર્મિક વિધિ અને અતિદુર્લભ એવું ઉભુ ભજન કે જે રાત્રે દશ વાગ્યાથી સવાર સુધી સતત ચાલું રહ્યું હતું આ જોયા બાદ જતીનને મા શક્તિ પ્રત્યે એક આંતરિક ભાવ થતા પોતાના આધ્યાત્મિક વિચારોને પ્રગટ કરતું એક મોટું બેનર બનાવી જેમાં આ યાદગાર પ્રસંગ વિશે પોતાની ભાવના રજૂ કરેલ છે જે આ મંદિરમાં અર્પણ કર્યું છે. 

આ પ્રસંગે અતિથિ વિશેષ ભરૂચના નામાંકિત કવિ કે કે.રોહિત તથા ભગુભાઈ ભીમડાએ પ્રાસંગિક પ્રવચનમાં સમાજમાં થતી ગેરસમજ – એકતા અને ભાઈચારા તથા જીવન જીવવાના સરળ વિચારો રજુ કર્યા હતા. જતિન પરમાર ” અભિગમ” એ કવિતા અને ઝઝલ રજૂ કરી સૌને ભાવવિભોર કર્યા હતા. આ કાર્યક્રમમાં અલ્કેશભાઈ, મિનેશભાઈ, સતિષભાઈ, અરવિંદભાઈ એડવોકેટ, જીજ્ઞેશભાઈ, મગનભાઈ તથા સ્થાનિક રહીશો ભાઈ બહેનો અને બાળકો હાજર રહી કાર્યક્રમ માણ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.