વિજાપુર તાલુકાના ડાભાલાના માણેકપુર ગામનો પરિવારને અમેરિકામાં જવાનો મોહ ભારે પડ્યોં
કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરતાં સમયે ખરાબ હવામાનથી લોરેન્સ નદીમાં બોટ પલટી
અમેરિકા જવાની લાલચે કુલ 8 વ્યકિતઓને બોર્ડર પાર કરતા સમયે કમકમાટીભર્યા મોત
ગરવી તાકાત, તા. 02 – કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે નદી પાર કરીને ઘૂસણખોરી કરનારા 8 લોકોના મોતના સમાચાર આવ્યા હતા. કાદવમાંથી 8 લોકોના મૃતદેહ મળ્યો હતા. ત્યારે તેમાંથી ચાર ગુજરાતીઓ હોવાનું ખૂલ્યું છે. મહેસાણાના વિજાપુરના ડાભલા માણેકપુર ગામના ચાર ગુજરાતીઓ અમેરિકા જતા મોતને ભેટ્યા છે. અમેરિકા જવાની લાલચે કુલ 8 વ્યકિતઓને બોર્ડર પાર કરતા સમયે કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે, જેમા ચાર ગુજરાતીઓ સામેલ હતા.. આ તમામ લોકો કેનેડાથી ગેરકાયદેસર રીતે નાની હોડીમાં સવાર થઈને અમેરિકા જઈ રહ્યા હતા. પરંતું વાતાવરણ ખરાબ હોવાથી હોડી ડૂબી ગઈ હતી, બાદમાં કાદવમાં તમામ લોકોના મૃતદેહો મળી આવ્યા છે.
અમેરિકાના મોહમાં મોતના રસ્તે જતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ફરી એકવાર ગુજરાતીઓની અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં એક પરિવારે જીવ ગુમાવ્યો છે. કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી હતી. ખરાબ હવામાનના કારણે બોટ પલટી થતાં 8 લોકોના મોત થયા છે. 4 ભારતીય સહિત કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં મહેસાણાના વીજાપુરમાં વસવાટ કરતું દંપતી પણ હતું.
વિજાપુર તાલુકા ડાભલાના માણેકપુરા ગામના ચાર લોકોનો નાનકડો ચૌધરી પરિવાર એમેરિકા જવા નીકળ્યો હતો. ચૌધરી પરિવારના ચાર સભ્યો બે મહિના પહેલાં કેનેડા પહોંચ્યા હતા. જ્યાંથી ગેરકાયદેસર અમેરિકામા ઘુસણખોરી કરતાં હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. પિતા પુત્ર અને પુત્રીનુ મોત થયા હોવાનું જાણવામળ્યું છે. તો પત્ની હજુ લાપતા છે. આ ઘટનાને પગલે માણેકપુરા ગામમાં શોકનો માહોલ છવાયો.
એવી હકીકત સામે આવી કે, કુલ આઠ લોકો કેનેડાથી ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હતા. એવામાં બુધવારે રાતે હવામાન પલટાયુ હતું. ભારે પવન અને વાવાઝોડું આવ્યુ હતું. જેને કારણે બોટ નદીમાં પલટી ગઈ હતી. પોલીસને કોલ મળતા જ ત્યાં પહોંચી હતી. જેથી પાણીમાં ડૂબતા લોકોની ચીસો સંભળાઈ હતી. હાલ સમગ્ર વિસ્તારમાં હેલિકોપ્ટરથી સર્ચ ઓપરેશન ચાલુ છે. તો જેની બોટ છે તે વ્યકિત પણ ગુમ છે. આઠ લોકોમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમની પાસે કેનેડાના પાસપોર્ટ હતા. 8 લોકોમાં બે પરિવાર હોવાનું દેખાય છે.
ચૌધરી પરિવારના મૃતકોના નામ
- ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઇ (પતિ), ઉંમર 50 વર્ષ
- દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી (પત્ની), ઉંમર 45 વર્ષ
- મિત કુમાર પ્રવીણભાઇ ચૌધરી (પુત્ર), ઉમર 23 વર્ષ
- વિધીબેન પ્રવીણભાઈ ચૌધરી (પુત્રી), ઉમર 20 વર્ષ