ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર થી આ સ્પેશયલ ટ્રેન અયોધ્યા જશે
મહેસાણાના રામભક્તો સહિત રાજકિય આગેવાનો અયોધ્યા જવા રવાના થયા
6 ફેબ્રુઆરી રાત્રિના બાર કલાકે અયોધ્યા જવા સ્પેશ્યલ ટ્રેન રવાના થઇ
ગરવી તાકાત, મહેસાણા તા. 07 – શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે ભગવાન રામના અભિષેક સમારોહને પગલે લાખો ભક્તો મંદિરના નગર અયોધ્યાની મુલાકાતે આવી રહ્યા છે. ભારતીય રેલવેએ દેશભરના વિવિધ શહેરોમાંથી અયોધ્યા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેનની પણ જાહેરાત કરી હતી. ગુજરાતથી અયોધ્યા જનારી પ્રથમ આસ્થા વિશેષ ટ્રેનને સોમવારે મહેસાણામાં લીલી ઝંડી આપવામાં આવી હતી.
ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, ઊંઝાના ધારાસભ્યો કે કે પટેલ અને બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિત ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ સોમવારે રાત્રે 11:50 વાગ્યે પ્રસ્થાન કરેલી આસ્થા વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
ભારતીય રેલ્વે ગુજરાતની દરેક લોકસભા સીટ પરથી આવી 26 વિશેષ ટ્રેનો દોડાવશે. રાજકોટ થી 15 ફેબ્રુઆરીએ ભાવિકો સાથેની ટ્રેન રવાના થશે. રાજકોટ લોકસભા મતવિસ્તારની સાત વિધાનસભા બેઠકના 1250 લોકો 15 આસપાસ અયોધ્યા જશે, એક દિવસનું રોકાણ કરી પરત ફરશે. જાન્યુઆરીમાં, રેલ્વેએ જાહેરાત કરી હતી કે તેણે દેશના વિવિધ ભાગોમાંથી સામાજિક-સાંસ્કૃતિક મહત્વના સ્થળો માટે રાઉન્ડ-ટ્રીપ ટિકિટિંગ સુવિધા સાથે આસ્થા વિશેષ ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું છે, અને અયોધ્યા સુધીની ટ્રેનો તે પહેલનો એક ભાગ છે.