ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાનો તા.૧૭મીનો સુરત પ્રવાસ કાર્યક્રમ

July 16, 2021

સુરત:શુક્રવાર: ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તા.૧૭/૦૭/૨૦૨૧ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે નવનિર્મિત પાંડેસરા પોલીસ સ્ટેશન તેમજ શહેરના ચાર પોલીસ સહાયતા કેન્દ્રનું લોકાર્પણ કરશે. ૧૨:૦૦ વાગ્યે સુરત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવનિર્મિત પોલીસ કેન્ટીન તથા જવાનો માટેના ડાઈનિંગ શેડને ખુલ્લા મૂકશે. ૧૨:૧૫ વાગ્યે પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઈનામ વિતરણ કર્યા બાદ ૧૨:૩૦ વાગ્યે સુરત શહેર પોલીસ કમિશનરેટ રિસ્ટ્રક્ચરીંગ અને રિવ્યુ મિટીંગમાં હાજરી આપશે. બપોરે ૪.૧૫ વાગ્યે દક્ષિણ ગુજરાત વિજ કંપની- DGVCLની કચેરી, વરાછા રોડ ખાતે ઉર્જા વિભાગની કામગીરીની રિવ્યું પ્રેઝન્ટેશન બેઠકમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૦૬:૦૦ વાગ્યે GIDC એસોસિએશનના સહયોગથી નિર્મિત કડોદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે. રાત્રીરોકાણ સુરત સરકીટ હાઉસ ખાતે કરશે. તા.૧૮/૭/૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગે નવસારી જવા રવાના થશે

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0