
મુસ્લીમ અગ્રણીના જણાવ્યા પ્રમાણે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મ રબ્બીઉલ અવ્વલ ના 12 તારીખ તેમજ ઇ.સ 570 20 એપ્રિલ ના સોમવાર ના રોજ મક્કા શહેરમાં થયો હતો. તેમના જન્મ દિવસે સમગ્ર મક્કા શહેરમાં એક રોશની ચમકી ઉઠી હતી. પયગમ્બર સાહેબ ના જન્મની ખુશીને લઈને મુસ્લીમ સમાજ હાલમાં પણ ઉભી થયેલી તાજગી અવિરત પણ સાચવીને ઇદે મિલાદનો તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેમાં કડીશહેર માંઆવેલી મસ્જિદોમા ભગતવાડા મસ્જિદો સહિત કડી શહેરની મસ્જિદો રોશની કરવામાં આવી હતી. તેમજ તહેવાર ના 12મી તારીખના બાલ મુબારકની જીયારત કરી સલાતો સલામ સાથે લોકોએ દર્શન કરી ભવ્યતા અનુભવી હતી. બપોર બાદ શહેરના વિસ્તારમાં ઝુલુસ કાઢી સરકારના જાહેર કરેલા જાહેરનામાનુ પાલન કરી ઉજવણી કરવામાં આવી હતી. જયારે નઆતખા કરી બાર દિવસ નઆત પાક સુરીલી અવાજમાં પઢીને લોકો ડોલાવ્યા હતા.તેમજ જુદાજુદા વિસ્તારોમાં ભેગા થાય નહીં તે રીતે પોત પોતાના વિસ્તારમાં ઝુલુસ કાઢીને ઉજવણી કરી હતી.


