મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની સોમવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કથિત ખંડણી રેકેટ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 12 કલાકથી વધુની પૂછપરછ પછી રાજ્ય પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે, 71 વર્ષીય દેશમુખની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જાેગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે, વરિષ્ઠ એનસીપી નેતા પૂછપરછ દરમિયાન ટાળતો હતો અને મંગળવારે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ એજન્સી તેની કસ્ટડી માંગશે.100 કરોડની લાંચ લેવાના આરોપોને ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોટેની સામે ઈડીના સમન્સને ઇનકાર કર્યા પછી દેશમુખ એજન્સી સમક્ષ હાજર થયો હતો. તેણે ઈડીને ઓછામાં ઓછી પાંચ નોટિસ મોકલી હતી, પરંતુ તે એજન્સી સમક્ષ હાજર થયો ન હતો. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ દ્વારા ઓછામાં ઓછા રૂ. 100 કરોડની લાંચ લેવાના આરોપોને લગતા ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ તેમની સામે કેસ કર્યા પછી દેશમુખ અને અન્યો સામે મની લોન્ડરિંગનો કેસ પ્રકાશમાં આવ્યો હતો.દેશમુખ આ કેસમાં મુખ્ય વ્યક્તિ છે.
ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એનસીપી નેતાનું સ્ટેટમેન્ટ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મહારાષ્ટ્ર પોલીસે રૂ. 100 કરોડના કથિત લાંચ-કમ-ખંડણી રેકેટમાં તેમના દ્વારા ચલાવવામાં આવી રહેલી ફોજદારી તપાસના સંબંધમાં નોંધ્યું છે. પૂછપરછ અને નિવેદનોનું રેકોર્ડિંગ લાંબા સમય સુધી ચાલ્યું કારણ કે અધિકારીઓએ કહ્યું હતું કે, દેશમુખ આ કેસમાં મુખ્ય વ્યક્તિ છે અને ઈડીની પૂછપરછ દરમિયાન સસ્પેન્ડેડ મુંબઈ પોલીસ અધિકારી સચિન વાઝે દ્વારા કરાયેલા ઘટસ્ફોટ સહિત વિવિધ વિષયો પર તેની પૂછપરછ થવી જાેઈએ.ઈડી ઓફિસમાં જતા પહેલા દેશમુખે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ તે પોતે એજન્સી સમક્ષ હાજર થઈ રહ્યો છે.
(ન્યુઝ એજન્સી)


