ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી બનાસ જનરલ હોસ્પિટલમાં રાજસ્થાનના આબુરોડ તાલુકાના સિયાવા ગામની બે વર્ષીય બાળકી કીર્તિ સાજાભાઈ ડુંગાસિયાનું ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન નિધન થયું બાળકીને તાવ, ઊલટી, ખેંચ અને બેભાન જેવી ગંભીર સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રાજસ્થાનમાં એક-બે દિવસની સારવાર લીધા બાદ, 13મી તારીખે સાંજે 6 વાગ્યે તેને બનાસ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુરના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું દર્દીને એક્યુટ વાયરલ એન્કેફેલાઈટીસ એટલે કે ચાંદીપુરા વાયરસ હોવાનું નિદાન થયું આ વાયરસનું પરીક્ષણ ગાંધીનગરની લેબમાં કરવામાં આવ્યું હોસ્પિટલમાં દાખલ થયા બાદ બાળકીને ઉત્તમ સારવાર પૂરી પાડવામાં આવી જોકે, શરીરની અંદર રસી થઈ જવાથી તે બેભાન અવસ્થામાં અને મગજ પર તાવને કારણે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન (DIC)

અને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન (MODS) જેવી ગંભીર પરિસ્થિતિમાં સારવાર દરમિયાન બાળકીને ઇન્ટ્યુબેશન કરીને વેન્ટિલેટર પર રાખવામાં આવી પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટની ટીમે તેને બચાવવા માટે પૂરા પ્રયાસો કર્યા જેમાં 6-7 ઇન્જેક્શન પંપ, બીપી કંટ્રોલ માટેની દવાઓ, એન્ટિબાયોટિક્સ અને લોહીના ઘટકો ચડાવવાનો સમાવેશ થાય પીડિયાટ્રિક આઈસીયુ (PICU)માં શ્રેષ્ઠ સારવાર આપવા છતાં બાળકને બચાવી શકાયું ન.


