પાલનપુરમાં વધુ એક વખત ધોળે દિવસે તસ્કરોએ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો

June 15, 2021

પાલનપુર

શહેરના માનસરોવર નજીક જનતાનગરમાં ધોળે દિવસે તસ્કરો મકાનના પાછળના દરવાજો તોડી હાથ સાફ કરી ગયા
પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેકતા ધોળે દિવસે ચોરીની બીજી ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે. શહેરના માનસરોવર ફાટક નજીક રાધાસ્વામી સત્સંગ હોલની પાસે આવેલ જનતાનગર સોસાયટી માં તસ્કરોએ પોતાનો કસબ અજમાવી અંદાજે દસ હજાર ચોરી કરી ફરાર થઇ ગયા હતા
પાલનપુર શહેરના માનસરોવર ફાટક નજીક આવેલ રાધાસ્વામી સત્સંગ હોલની પાસે આવેલ જનતાનગર સોસાયટીમાં એક મકાનમાં ધોળે દિવસે ચોરી થઈ હતી. પરિવાર ના મોભી અને દીકરો કામ અર્થે બહાર ગયા હતા અને પત્ની ઉપરના માળે કચરા પોતુ કરવા ગયા હતા ત્યારે મોકનો લાભ ઉઠાવી પાછળના ભાગેથી લાકડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી અને તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તિજોરી ન તૂટતા બાજુમાં પડેલ તિજોરી માં રહેલ રોકડ રકમ દશ હજાર જેટલી રકમ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા,ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટનાને સ્થળે દોડી આવી અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0