ગરવી તાકાત પાલનપુર : થરાદ ની મુખ્ય કેનાલમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેને લઈ બુધવારે થરાદ ના મહાજનપુર પુરા ગામના મુખ્ય કેનાલ ના પુલ નજીક તરતો મૃતદેહ રાહદારીઓને નજરે પડતા રાહતદારીઓ એ થરાદ ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ ને મૃતદેહને બહાર નીકળ્યો હતો
બહાર નીકળે તપાસ કરતા તેની જોડેથી કોલેટી મળી આવેલી હતી જેમાં 400 રૂપિયા રોકડ અને તેનો મોબાઇલ મળી આવતા મોબાઇલ ફોન સ્વીચ ઓફ ખોલ તા એ ભાઈ ની ઓળખ થયેલ હતી જેમાં થરાદના આંબલી શેરીમાં રહેતા યતીન્દ્ર ભાઈ ગાંધી ઉ.આશરે.૩૫ વર્ષ હોવાનું બહાર આવ્યું હતું જેને લઈ પરિવાર જનો જાણ કરતા પરિવાર ના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહ ને ઘરે લઈ ગયેલ હતા કોઈ કારણો સર કેનાલ માં જંપલાવી મોત ને વહાલું કર્યું તેનું કારણ અકબંધ છે
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


