ગરવી તાકાત વડોદરા : લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા શહેરની મુલાકાત લે તેવી શક્યતા છે. જાણવા મળ્યું છે કે તેઓ આજવા રોડ પર આદિવાસી સમુદાયની સભાને સંબોધશે. રાહુલ ગાંધીનો વડોદરાનો પ્રવાસ.

આસામ વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયગાળા દરમિયાન નક્કી કરવામાં આવ્યો છે. 23 તારીખે, તેઓ વડોદરા પહોંચશે અને સાંજે 4 વાગ્યે આજવા રોડ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે,

આ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા નહીં, પરંતુ આદિવાસી સમુદાયના સભ્યો દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે વડોદરા અને છોટા ઉદેપુર સહિત આસપાસના જિલ્લાઓમાંથી આદિવાસી સમુદાયના લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.


