પાલખી યાત્રા: બહુચરાજીમાં પૂનમે માતાજીની શાહી સવારી નગરચર્યા માટે નીકળી

March 19, 2022

— બહુચરના મંદિર પરિસરમાં જય બહુચરના નાદ ગુંજી ઉઠ્યા

— કોરોનાના કારણે છેલ્લા કેટલાય સમયથી પાલખી યાત્રા બંધ રાખવામાં આવી હતી

ગરવી તાકાત મહેસાણા : તીર્થધામ બહુચરાજીમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે બહુચર માતાની શાહી સવારી નગરચર્યા માટે નીકળી હતી. રાત્રી દરમિયાન નિકળેલી આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કોરોના મહામારીને લઈને છેલ્લા કેટલાય સમયથી દર પૂનમે નીકળતી માતાજીની આ પાલખી બંધ રાખવામાં આવી હતી. જોકે, હાલ કોરોના નિયંત્રણમાં આવતા ફરી એક વાર માં બહુચરના મંદિર પરિસરમાં “ જય બહુચરના નાદ ગુંજી ઉઠ્યા હતા.

બહુચરાજીમાં ગાયકવાડી શાસન સમયથી દર પૂનમે રાત્રે 9 કલાકે બહુચર માતાજીની પાલખી નીકળે છે. જે નગર પરિભ્રમણ કરી નિજ મંદિરે પરત આવે છે. કોરોના મહામારી દરમિયાન આ પાલખી યાત્રા બંધ કરાઈ હતી. મંદિર પરિસરમાં જ પાલખી ફરતી હતી. જોકે, કોરોના નિયંત્રણમાં આવતા પાલખી યાત્રા પુનઃ શરૂ કરવા બહુચરાજી વેપારી મંડળ સહિત શ્રદ્ધાળુઓએ કલેક્ટર, વહીવટદાર સહિતને રજૂઆત કરી હતી. જેને લઈ આ પાલખી યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વાર બહુચર મૈયાની શાહી સવારી નીકળતા ભક્તો દર્શન માટે ઉમટી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0