ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં નવી દરખાસ્ત, દંડ વસુલીને પણ ઢોર છોડવામાં નહીં આવે

April 21, 2022

ગરવી તાકાત ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં રખડતા ઢોર પકડવામાં આવશે તો દંડ વસુલીને પણ ઢોર છોડવામાં નહીં આવે સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોરના દંડની નવી જોગવાઈઓ કરવામાં આવી છે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કમિશ્નરે દંડની નવી જોગવાઈ માટેની દરખાસ્ત મૂકી હતી તેને પસાર કરવામાં આવી હતી. દરખાસ્તમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત અને બીજી વખત પકડાયેલા ઢોરને દંડ લઈને છોડવામાં આવશે. જ્યારે ત્રીજી વખત પકડાશે તો પશુઓને કાયમી ધોરણે પાંજરાપોળમાં મોકલવામાં આવશે.

17 મુદ્દાનો ઠરાવ મંજૂર કર્યો છે. જે ગાંધીનગર મહાનગરપાલીકાના વિકાસ માટે જરૂરી છે. રખડતા ઢોર પકડાય તો દંડની રકમ વધારવામાં આવી છે. ત્રણ વાર રખડતા ઢોર પકડાશે તો દંડ વસુલાશે ચોથી વખત પકડાશે તો છોડવામાં આવશે નહીં

નીલ ગાય પકડવા બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી વહેલા આવે મહેકમ અટકાવાય માટે મહેકમને સામાન્ય સભામાં ન લઈ શકાય. નવા વિસ્તારનો સમાવેશ થયો છે ત્યારે નવા મહેકમને પૂરવણિ તરીકે મંજૂરી અપાઈ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0