ગરવી તાકાત ચાણસ્મા : ચાણસ્માના ખારા ધરવા ગામમાં 6 બંધ મકાનોમાં ચોરીની ઘટના રાત્રે બનવા પામી હતી જેમાં બે મકાનોમાંથી તસ્કરો રોકડ રકમ સહિત સોનાના દાગીના તથા ચાંદીના સિક્કાની ચોરી કરી ગયા. ચાણસ્મા તાલુકાના ખારા ધરવા ગામે રહેતા લાલજીભાઈ નરોત્તમભાઈ પટેલ વડોદરા ગયા હોવાથી મકાન બંધ હતું જેમાં રાત્રે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ રૂ 1.60 લાખ તથા સોનાનો દોરો અને ચાંદીના સિક્કા લઈ ગયા.

અન્ય મકાન માલિક પટેલ રમેશભાઈ જોરદાસ પાટણ ગયા હોવાથી તેમના બંધ ઘરમાં તસ્કરો પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી દીધો હતો. અંદરથી સોનાનો દોરો સહિત 12 જેટલા ચાંદીના સિક્કા તથા પરચૂરણ પણ ઉઠાવી ગયા હતા. જ્યારે પટેલ તુલસીભાઈ માધાભાઈ, પટેલ મધુબેન અમૃતલાલ, પટેલ અનિલભાઈ નારણભાઈ તથા.
![]()
પટેલ તુલસીભાઈ ઇશ્વરભાઇના મકાન પણ બંધ હતા તેને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા પરંતુ કંઈ હાથ ન લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું વહેલી સવારે ચાણસ્મા અને પાટણ એલસીબી પોલીસે ખારાધરવા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી મોડી સાંજ સુધીમાં ફરિયાદ નોંધાવી ન હોવાનું જાણવા મળ્યું હતું.


