મહેસાણા શહેરમાં ભમરીયાનાળાનુ બાંધકામ તથા સમારકામ થતુ હોઈ મહેસાણાના કલેક્ટર તેના સંબધીત આપેલ ડાઈવર્ઝનની તારીખો વાંરવાર લંબાવી રહ્યા છે. કલેક્ટરને ડાઈવર્ઝનની તારીખો લંબાવાની જરૂરીયાત એટલા માટે પડી રહી લાગે છે કે કામગીરી સમયસર પુરી નથી થઈ રહી. આ ડાઈવર્ઝનના કારણે શહેરમાં વાહન ચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે તેમને જણાવ્યુ હતુ કે ડેડીકેટેડ ફેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી અમદાવાદ તથા વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ દ્વારા ભમરીયાનાળા બ્રિજ નં-105 (આઇ.આર.બ્રિજનં 963 અને 963-A)નું બાંધકામ-સમારકામના બીજા તબક્કામાં બ્રિજનં -963-એની કામગીરી ચાલુ થનાર હોઇ જાહેર સલામતી અને ટ્રાફિકની મુશ્કેલી નિવારણ માટે ભમરીયા નાળા બ્રિજ 963-A બંધ કરવા અને મહેસાણા શહેરમાં વાહન વ્યવહાર ડાયવર્ઝનનો આદેશ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો – મહેસાણા શહેરમાં રેલ્વેની કામગીરીના પગલે ડાયવર્ઝન અપાયા
(1) મહેસાણા મોઢેરા ચોકડીથી APMC ગંજ બજાર તથા મહેસાણા- 01 પાંચલીંબડીમાં આવતા વાહનો માટે ડાઇવર્ઝન રૂટ પાલાવાસણા સર્કલ થી શોભાસણ રેલ્વેબ્રિજ (વિજાપુર રોડ) નીચેના શોભાસણ રોડ થઇ હેડુવા હનુમંત જવાના રસ્તે થઈને બ્રહ્માણી માતાના મંદિર થઈ જનતાનગર થઈ APMC ગંજ બજારમાં પ્રવેશ કરશે.
(2) વિસનગર/ વિજાપુર થઈને APMC ગંજ બજાર મહેસાણામાં આવતા વાહનો માટે રામપુરા ચોકડી થી આવતા વાહનો કુક્સ ગામમાં થઈને હેડુવા હનુમંત જવાના રસ્તે થઈને બ્રહ્માણી માતાના મંદિર થઈ જનતાનગર થઈ APMC ગંજ બજારમાં પ્રવેશ કરશે.
(3) મહેસાણા મોઢેરા ચોકડી થી બી.કે. સિનેમા થઇ મહેસાણા ટાઉનમાં આવતા વાહનો માટે મહેસાણા શહેર એક માં પ્રવેશનાર LMV/નાના વાહનો ગોપીનાળા અથવા આંબેડકર બ્રિજ થઈ મહેસાણા શહેરમાં પ્રવેશ કરશે.
(4) APMC તથા શહેરમાં પ્રવેશેલ વાહનો ભમરીયા નાળા બ્રિજ નં.963-A માંથી બહાર મોઢેરા ચાર રસ્તા તરફ જઈ શકશે.
આ જાહેરનામું 25 ડિસેમ્બર 2020 ના 24.00 કલાક સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે.