ગરવી તાકાત મહેસાણા : વિજાપુરના જંત્રાલ ગામે રસ્તાના મુદ્દે બે પડોશી પરિવારો વચ્ચે ઉગ્ર તકરાર થતાં જે પથ્થરમારા અને મારામારીમાં આ ઘટનામાં બંને પક્ષે 2 વ્યક્તિઓને ઈજાઓ થઈ જેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા આ મામલે લાડોલ પોલીસે બંને પક્ષે કુલ 12 વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

રોહિત વાસના મોતીભાઈ શંકરભાઈ સોલંકીના મકાન પાસેના રસ્તેથી કાંતિભાઈ રામાભાઇ સોલંકી કાયમી પસાર થતા જોકે તેમનો મુખ્ય રસ્તો અલગ મોતીભાઈએ તેમને આ રસ્તેથી નહીં જવા માટે અવારનવાર કહ્યું આ બાબતે ઝઘડો થતાં કાંતિભાઈએ મોતીભાઈને ધોકાથી માર માર્યો અને તેમના દીકરાઓ સાથે મળી ઈંટોના ટુકડા ફેંક્યા મોતીભાઈને સામાન્ય ઈજા થઈ અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ અપાઈ.

બીજી તરફ, નીલમબેન હર્ષદભાઈએ ફરિયાદ નોંધાવી કે તેમના સરકારી આવાસ નજીકના પંચાયતી રસ્તા પર મોતીભાઈ અને તેમના પરિવાર કચરો-લાકડા મૂકતા આ અંગે કહેવા જતાં મોતીભાઈ, અલ્પેશભાઈ, ધીરજભાઈ અને રાકેશભાઈ સોલંકીએ તેમને ગાળો આપી અને માર માર્યો. ધીરજભાઈએ નીલમબેનના સસરાને લાકડીથી પગે મારી હતી.


