BZ કૌભાંડ વચ્ચે જિલ્લાના શિક્ષણ અધિકારી રજા પર..!

December 16, 2024

-> શિક્ષણ વિભાગની કચેરીઓમાં મોટાભાગના ટેબલો ખાલી જોવાં મળ્યા :

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં 21 દિવસ પહેલા BZ પોન્ઝી સ્કીમની ઓફિસો સહીત અલગ અલગ સ્થળો પર CID ક્રાઈમની ટીમે રેડ કરી વિવિધ મુદામાલ કબ્જે કર્યો છે. BZ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવવા માટે CEO ભુપેન્દ્રસિંહ ઝાલા સહીત તેના એજન્ટો રોકાણકારોને સ્કીમમાં રોકાણ કરાવવા માટે વિવિધ લોભામણી લાલચ તેમજ વિદેશ ટૂર સહિત લક્ઝરીયસ કાર પર ગિફ્ટ માં આપવાની વાતો કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર બાબતે CID ક્રાઈમની ટીમે સર્ચ હાથ ધરી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 6 હજાર કરોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યાર બાદથી આજદિન સુધી મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા સહીત તેના એજન્ટો ભૂગર્ભમાં જતા રહ્યા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર મોટાભાગના રોકાણકારો શિક્ષકો હોવાનું માહિતી મળી રહી છે. સાથોસાથ શિક્ષકો સહિત અન્ય લોકોને સ્કીમમાં રોકાણ કરાવવા માટે શિક્ષકોને એજન્ટ બનાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. સ્કીમમાં BZ ગ્રૂપ દ્વારા આપવામાં આવતી લક્ઝરિયસ કાર, મોંઘાદાટ મોબાઇલ ફોન, સહીત વિદેશની ટૂર કરતા શિક્ષકો અને એજન્ટોના વિડિઓ સામે આવ્યા છે. ત્યારે 21 દિવસ જેટલો સમય વીત્યો છે અને સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું ધ્યાને આવ્યું છે જોકે સૌથી વધુ રોકાણકારો શિક્ષકો હોવાનું ધ્યાને આવ્યા બાદ પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તેમજ જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ઓમા મોટાભાગના ટેબલો ખાલી જોવાં મળી રહ્યા છે.

લેખીત ફરિયાદ બાદ જાણવાજોગ વિગતો પણ તંત્રને આપી હોવા છતાં એજન્ટો શિક્ષકો વિરુદ્ધ કાયૅવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાની રાવ ઉઠવા પામી છે. સરકારી પ્રાથમિક સહિતની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો એજન્ટ હોવાના પુરાવા સામે આવ્યા બાદ પણ વિભાગીય કચેરી દ્વારા આજદિન સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી ન થતાં એજન્ટ શિક્ષકો થકી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર મોટાભાગના રોકાણકારોની ચિંતામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. એક તરફ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 6 હજાર કરોડની પોન્ઝી સ્કીમનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

તેની વરચે જિલ્લાની શિક્ષણ વિભાગની કચેરીઓમાં મોટાભાગના ટેબલો ખાલી જોવાં મળ્યા ચર્ચાઓનો દોર શરૂ થયો છે. હાલના સમયે સાબરકાંઠા અરવલ્લી સહિતનાં વિસ્તારોમાં પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનાર રોકાણકારોને એજન્ટો દ્રારા સોશિયલ મીડિયા થકી સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે ત્યારે હાલ 6 હજાર કરોડનું ફૂલેકું ફેરવનાર ભુપેન્દ્રસિંહ ઝાલા સહીત તેના એજન્ટો ભૂગર્ભમાં જતા રહેતાં મોટાભાગના રોકાણકારો ની ચિંતામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ સરકારી નોકરીઓ કરતા કર્મચારીઓ એજન્ટ બની રોકાણકારોને રોકાણ કરાવનારાઓ સામે તંત્ર દ્વારા આજદિન સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી જેને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ સામે પણ અનેક સવાલો ઉદભવી રહ્યાં છે…

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0