ગરવી તાકાત અરવલ્લી : છેલ્લા કેટલાક દિવસોથી અરવલ્લી જિલ્લામાં કમોતે મોત નિપજ્યાની ઘણી ઘટનાઓ સામે આવી છે. ત્યારે, અરવલ્લી જિલ્લામાં ગઈકાલે મૃતદેહ મળ્યાને 24 કલાક થયા નથી. ત્યારે આજે એક મહિલાનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. ધનસુરાના બરનોલી ગામની બરનોલી ગામમાં રહેતી એક અસ્થિર મગજની મહિલા બે દિવસથી ગુમ હતી.
આ મહિલાની તમામ જગ્યાએ તપાસ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો ના હતો. એવામાં આજે બરનોલી પાસે પસાર થતી નદીમાં કોઈ મૃતદેહ છે એવી વિગતો મળતાં ગ્રામજનોએ તપાસ કરી તો આ મૃતદેહ બે દિવસથી ગુમ અસ્થિર મગજની ગામની જ મહિલાનો નીકળ્યો હતો. જેથી મૃતકના સગા સંબંધીને જાણ કરી સગા સંબંધી ઘટના સ્થળે આવી પહોંચ્યા
અને મહિલાને ઓળખી બતાવી હતી. આ ઘટનાની જાણ ધનસુરા પોલીસને કરી હતી અને ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થળ, સ્થિતિનું પંચનામું કરી મૃતદેહ ને પી.એમ. અર્થે ધનસુરા સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં પેનલ ડોક્ટરની મદદથી મહિલાનું પી.એમ. કરવામાં આ