મા અંબાના દર્શનાર્થે દેશભરમાંથી લાખો પદયાત્રીઓનું મહેરામણ ઊમટ્યું: માર્ગો ‘જય અંબે’ના નાદથી ગુંજ્યા

September 20, 2026

અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનો ભક્તિભાવપૂર્વક મંગલ પ્રારંભ

ગરવી તાકાત ઃ 20-9-2026

મહેસાણા એસટી ડિવિઝન દ્વારા ૨૧૦ વધારાની બસો સાથે ૬૬૯ ટ્રીપોનું સંચાલન, ₹૩.૨૩ કરોડની સંભવિત આવકનો અંદાજ

યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન સાત દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો આજ રવિવાર ૨૦ સપ્ટેમ્બરથી ભક્તિસભર વાતાવરણ વચ્ચે પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી ૨૬ સપ્ટેમ્બર પૂનમ સુધી ચાલનારા આ શ્રદ્ધાના પર્વ દરમિયાન દેશભરમાંથી લાખો માઈભક્તો અંબાજી મુકામે પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવશે. મેળાના આરંભ સાથે જ મહેસાણા જિલ્લાના તમામ મુખ્ય ધોરીમાર્ગો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની ભીડથી ઉભરાઈ ગયા છે અને સમગ્ર વાતાવરણ ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના ગગનભેદી જયઘોષથી સતત ગુંજી રહ્યું છે.

આ મહામેળામાં દર્શનાર્થે આવતા-જતા અસંખ્ય યાત્રાળુઓને સલામત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુથી મહેસાણા એસટી ડિવિઝન દ્વારા સઘન અને વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિગમ દ્વારા ૨૦ સપ્ટેમ્બરથી લઈને ૨૬ સપ્ટેમ્બર સુધીના સાત દિવસ દરમિયાન મુસાફરોની વધારાની સુવિધા માટે ૨૧૦ ખાસ બસો ફાળવવામાં આવી છે. આ વધારાની બસો મારફતે કૂલ ૬૬૯ જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે અને તેના થકી એસટી તંત્રને અંદાજે ₹૩.૨૩ કરોડ જેટલી નોંધપાત્ર આવક પ્રાપ્ત થવાની પૂર્ણ ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

દર વર્ષે ભાદરવી પૂનમના અવસરે મહેસાણા એસટી ડિવિઝન દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ બસો દોડાવવાની પરંપરા રહી છે. ગત વર્ષે ૨૦૨૫ના મેળા દરમિયાન ડિવિઝન દ્વારા ૧૭૦ જેટલી વિશેષ બસોના માધ્યમથી સાત દિવસમાં કુલ ૫,૦૪૨ ટ્રીપ સફળતાપૂર્વક દોડાવીને ₹૨.૪૯ કરોડની બમ્પર આવક નોંધાવવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માઈભક્તોના ધસારામાં ઉત્તરોત્તર થયેલા જંગી વધારાને ધ્યાને રાખીને પ્રશાસન દ્વારા બસો અને ફેરાઓની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ ભક્તને પરિવહન સંબંધિત હાલાકી ભોગવવી ન પડે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0