ગરવી તાકાત પાટણ : ચાણસ્માના મીઠીઘારિયાલ ગામમાં ત્રણ વર્ષ અગાઉ આડા સંબંધમાં નડતરરૂપ બનતા પતિની ક્રૂરતા પૂર્વક હત્યા કરી સળગાવ્યા બાદ લાશને મીઠું નાખી દાટી દેનાર પત્ની અંજના અને તેના પ્રેમી બેચર પટેલને જજ પ્રશાંત એચ.શેઠે આજીવન કેદની સજા ફટકારી જેમાં 116 પાનાના ચુકાદામાં કોર્ટે આ ઘટનાને અમાનવિય ગણાવી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા મીઠીઘારિયાલમાં 6 ફેબ્રુઆરી 2021ના રોજ પતિ દશરથભાઈ પટેલ અચાનક ગુમ થયા તેમની પત્ની અંજનાએ જ પોલીસમાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

જોકે, પરિવારને શંકા જતાં હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી સતત ત્રણ મહિનાની તપાસ બાદ 30 મે 2021ના રોજ એક ખેતરની નેકમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર મામલે ખૂનનો ગુનો નોંધાયો પોલીસે શંકાના આધારે અંજના અને બેચરની પૂછપરછ કરતા પ્રેમ સંબંધમાં પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી આ કેસમાં આરોપીઓએ જે રીતે હત્યાને અંજામ આપ્યો તે જોઈને ન્યાયાધીશે પણ તેને અમાનવીય કૃત્ય ગણાવ્યું પ્રેમી બેચર અને પત્ની અંજનાએ દશરથભાઈનું ગળું દબાવવા ઉપરાંત તેમનું ગુપ્તાંગ ખેંચીને.

અત્યંત વેદનાદાયક રીતે મોતને ઘાટ ઉતાર્યા સરકારી વકીલ શૈલેષભાઈ એચ. ઠક્કરે કોર્ટમાં દલીલ કરી કે આરોપીઓએ અત્યંત ઠંડા કલેજે હત્યાનું કાવતરૂં રચ્યું કોર્ટે 50 જેટલા દસ્તાવેજી પુરાવા અને 21 સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી આરોપીઓએ પુરાવાનો નાશ કરવા લાશને સળગાવીને દાટી દીધી હોવા છતાં વૈજ્ઞાનિક તપાસ અને કડીબદ્ધ પુરાવાઓને આધારે કોર્ટે બંને મુખ્ય આરોપીઓને દોષિત ઠેરવી 25-25 હજારનો દંડ પણ ફટકાર્યો લાશ સગેવગે કરવામાં મદદ કરનાર બેચરના પુત્ર મિતેશને પણ 6 માસની કેદની સજા ફટકારવામાં આવી.


