ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ આ સંદર્ભે જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાટણ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠકમાં ઉજવણીના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં જેમાં પદયાત્રા માટે વિગતવાર સૂચનો અપાયા. આ ઉજવણી અંતર્ગત તા. 17 થી 20 નવેમ્બર દરમિયાન ચાણસ્મા, રાધનપુર, પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

આ પદયાત્રા સવારે 8 વાગ્યે શરૂ થશે દરેક સ્થળે સરદાર પટેલના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવા માટે પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકજાગૃતિ કાર્યક્રમો આ પદયાત્રામાં સામાજિક અને ધાર્મિક આગેવાનો, સાધુ સંતો, સ્વયંસેવકો અને સ્થાનિક લોકો જોડાશે. જિલ્લા સ્તરે ઉજવણી કાર્યક્રમની વિગતો જોઈએ તો તા. 17 નવેમ્બરે ચાણસ્મા વિધાનસભા અંતર્ગત ગંગેટ ખાતે, તા. 18 નવેમ્બરે રાધનપુર વિધાનસભાનો કાર્યક્રમ અલ્હાબાદ ખાતે, તા. 19 નવેમ્બરે પાટણ વિધાનસભાનો કાર્યક્રમ નોરતા તળપદ ખાતે યોજાશે.

તા. 20 નવેમ્બરે સિદ્ધપુર વિધાનસભાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગાગલાસણ ખાતેથી પદયાત્રા શરૂ કરી ગોકુળ યુનિવર્સિટી ખાતે સમાપ્ત થશે. પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ બેઠકમાં જિલ્લાના લોકોની સમસ્યાઓના સમયસર નિરાકરણ માટે ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું તેમણે સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા તેમજ નાગરિકોના કામ સંતોષજનક રીતે થાય તે માટે જવાબદારીપૂર્વક વર્તવા અધિકારીઓને જણાવ્યું. આ બેઠકમાં સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.


