સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની પ્રેરણા અને કે. એ. પટેલ ના માર્ગદર્શન હેઠળ આ પ્રસંગે લગભગ 3૦૦ થી પણ વધુ લોકો ‘ મનકી બાત’ ના ૧૦૦મા એપીસોડ ના સાક્ષી બન્યા.

May 2, 2023

આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ૧૦૦મી વખત ‘મન કી બાત’ તા. ૩૦મી એ રવિવારે કરી, ‘મન કી બાત ‘એ મારી – તમારી વાત છે, આપણા રાષ્ટ્ર નિર્માણની વાત છે અને રાષ્ટ્ર નિર્માણ માં મારા તમારા જેવા નાગરિકો એ જ આપેલી આહુતિની વાત છે’. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી એ પણ આ જ વાતો નો ખૂબ ઉલ્લેખ કર્યો. બેટી બચાવો અને સેલ્ફી વિથ ડોટરન્ યાદ કર્યું, મહિલા ઓના રાષ્ટ્ર નિર્માણ માં પ્રદાન ને યાદ કર્યું અને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય કક્ષા એ ઉદ્યોગોને લઈ જવા પ્રેરણા આપી.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર સંચાલિત ‘નુતન હોમીઓપથીક મેડીકલ કોલેજ તેમજ હોસ્પીટલ, ડોક્ટર સેલ વિસનગર શહેર અને તાલુકા, અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત મહેસાણા એ આ ‘મન કી બાત’ ને સાથે સાંભળી ને માણી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલની પ્રેરણા અને રજીસ્ટાર સાહેબ શ્રી કે. એ. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ પ્રસંગે લગભગ 3૦૦ થી પણ વધુ લોકો ‘ મનકી બાત’ ના ૧૦૦મા એપીસોડ ના સાક્ષી બન્યા.
નુતન હોમીઓપથીક મેડીકલ કોલેજ તેમ જ હોસ્પીટલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પ્રધાનમંત્રીશ્રી ની આભારી છે આટલા પ્રેરણાત્મક ઉદ્ બોધન બદલ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0