કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તબીબો સામે કાર્યવાહીથી પ્રજામાં નારાજગી જોવા મળી 

June 9, 2021
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક તબીબો સામે કરવામાં આવેલી કાર્યવાહીને પગલે પ્રજામાં નારાજગી જોવા મળી છે. આમ તો ડિગ્રી વિના કોઈની સારવાર કરવી તે કાયદાકીય રીતે ગુનો બને છે પરંતુ વર્ષોથી પ્રેક્ટિસ કરતા આવા ઈસમો ખરેખર ગ્રામ્ય વિસ્તારની પ્રજા માટે આશીર્વાદરૂપ સમાન હોય છે તેવું પ્રજાનું માનવું છે. આ વિસ્તારના લોકોના જણાવ્યા અનુસાર કોરોનાની મહામારીમાં કેટલીક મોટી હોસ્પિટલોના ડિગ્રી ધરાવતા તબીબો જ્યારે લોકો સાથે લૂંટ ચલાવતાં હતા. તેવા કપરા સમયમાં કેટલાંક લોકોને મફતમાં તો કેટલાકને સામાન્ય નાણાં લઈ આ તબીબોએ બચાવવામાં મદદ કરી હતી. આવા તબીબોને હાલના તબક્કે ડિગ્રી માટે તેમની પરીક્ષા લઈને અથવા તો અન્ય કોઈ પ્રકારે તેઓને હોસ્પિટલ ચલાવવા માટે છૂટછાટ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0