PSI પરિક્ષા પાસ 621થી વધુ ASIને હુકમો ક્યારે?:, ત્રણ માસથી PSIના નિમણૂંક પત્રોનો પ્રશ્ન અધ્ધરતાલ
પોલીસ કર્મચારીઓમાં ગણગણાટ IPS ની બદલીઓ અટકી ગઈ છે પછી અમારું કોણ સાંભળે
PSIની પરીક્ષા પાસ કર્યાના 3 માસ બાદ પણ 621 પોલીસ કર્મીઓને મજબૂરીમાં ASIની ફરજ બજાવી રહ્યાં છે
Sohan Thakor-મહેસાણા તા. 27- રાજ્ય પોલીસ વિભાગના મોડ-૩ની પરિક્ષાઓ પાસ કરી સબ ઇન્સ્પેક્ટર બની ચુકેલા 621 આસી. સબ ઇન્સ્પેક્ટરોને સરકાર દ્વારા નિમણુંકના હુકમો નહિ અપાતાં ત્રણ ત્રણ માસથી પ્રશ્ન અધ્ધરતાલ લટકી રહ્યાનો ગણગણાટ પોલીસ બેડામાં શરૂ થયો છે.

ત્રણ વર્ષ સુધી એએસઆઇ તરીકેની ફરજ બજાવી ચુકેલા કર્મચારીઓને પીએસઆઇ માટે મોડ-૩ની પરિક્ષાઓ પાસ કરવી પડતી હોય છે. દર વર્ષે આ માટે પરિક્ષા યોજવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત લેવામાં આવેલી પરિક્ષાનું ત્રણ મહિના પહેલા જ પરિણામ જાહેર કરી દેવાયું છે અને તમામના ક્લીયરન્સ પણ ડીજીપી ઓફિસ દ્વારા આપી દેવામાં આવ્યા છે. આમ છતાં સરકારના ગૃહવિભાગ દ્વારા તેઓને પીએસઆઇની લીલીઝંડી આપવામાં ન આવતાં પીએસઆઇની નિમણૂંકનો મુદ્દો આજે ત્રણ માસનો સમય વિતવા છતાં પણ અધ્ધરતાલ રહ્યો છે. ત્યારે પીએસઆઇની પરીક્ષા આપી પાસ થઇ ચૂકેલા 621 એએસઆઇ પીએસઆઇની નિમણૂંક માટે કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.
પીએસઆઇની નિમણૂંક છતા પણ આજ દિવસ સુધી તેમને પીએસાઈની નિમણુક ના પત્રો મળ્યા નથી પીએસઆઇ તરીકે પરિક્ષા પાસ કર્યા બાદ હમણા નિમણુંકો મળી જશે તેની રાહમાં ઉમેદવારો લાંબા સમયથી છે. આ મુદ્દે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ત્યારે આવા કર્મચારીઓમાં અંદરો અંદર ગણગણાટ શરુ થવા લાગ્યો છે કે લાંબા સમયથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીનું લિસ્ટ તૈયાર છે તેમને પણ મંજુરી મળતી નથી ત્યારે અમને કોણ સાંભળશે?
ત્યારે મહત્વની બાબત છે કે લોકોને ન્યાય અપાવતી ખુલ પોલીસ કર્મચારીઓને જ ન્યાય મળતો નથી. પીએસઆઇની પરિક્ષા પાસ કરી ચૂકેલા તમામ 621 પોલીસ કર્મચારીઓ અંદરો અંદર અન્યાયની લાગણીનો અનુભવ કરી રહયાં છે પરંતુ કોઇ ખુલીને આ અન્યાય સામે અવાજ ઉઠાવી શકે તેમ નથી. જો અવાજ ઉઠાવવા જાય તો નોકરીમાં જોખમ થઇ પડવાના ડરે માત્રને માત્ર કયારે નિમણુંક પત્રો આપવામાં આવે તેવી આશાભરી નજરે રાહ જોઇ રહ્યાં છે.


