ગરવી તાકાત ગાંધીનગર : અમદાવાદમાં ત્રાટકેલા વરસાદે ઠેર-ઠેર વિનાસ વેર્યો. આભની અટારીએથી ઉતરેલી આ આફતને પગલે પાણી ભરાવા સહિતના ખાના-ખરાબીના દ્રશ્યો સર્જાય. આ દરમિયાન ભારે પવનની થપાટે આજે સોલં
કી પુરા પાસે તોતિંગ વૃક્ષ ધારશાઇ થયું હતું. દહેગામ-ગાંધીનગર રોડ ઉપર વર્ષો જૂનું ઘેઘૂર વૃક્ષ કાળ બનીને રીક્ષા પર ખાબકતા 3 લોકોના કમકમાંટીભર્યા મોત નિપજ્યાં. જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી.
દહેગામ-ગાંધીનગર રોડ ઉપર પેસેન્જર સવાર રિક્ષા પસાર થઇ રહી હતી. આ વેળાએ શહેરના સોલંકીપુરા વિસ્તારમાં પીપળાનું મોટું ઝાડ એકાએક જમીન પર પડ્યું જે સીધું જ રીક્ષા ઉપર પડતા રિક્ષામાં સવાર 6 લોકોને ગંભીર ઇજા થવા પામી. જેમાં 3 વ્યક્તિ કાળનો કોળીયો બની ગયા. 3 લોકોના મોતને લઈને સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બીજી તરફ આ કરુણ ઘટના અંગેના વાવડ વહેતા થતાં લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા અને તંત્રના સબંધિત વિભાગને જાણ કરતાં ટીમ દોડી આવી.
વધુમાં આ ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કરુણાંતિકા બાદ તોતિંગ વૃક્ષની ડાળીઓ રસ્તા ઉપર પડતાં ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


