— પારપડા ખાતે યોજાયેલ રોહિત સમાજના સમૂહ લગ્નમાં ૧૨ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યાં :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના પારપડા ખાતે આજે શ્રી ધાણધાર રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા ૧૩ માં સમૂહ લગ્ન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૧૨ નવ દંપતિઓએ અગ્નિની સાક્ષીએ ફેરા ફરી પ્રભુતામાં પગલા પા
ડી નવ જીવનની શરૂઆત કરી હતી.

પારપડા ખાતે આવેલ રામદેવપીર ધામ ખાતે આયોજિત આ સમૂહ લગ્ન મહોત્સવમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, ભાજપના જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણ, શંકરભાઈ ચૌધરી સહિત અગ્રણીઓ તેમજ રોહિત સમાજના આગેવાનો અને સ્વયં સેવક કાર્યકરોએ ખૂબ જ સરસ વ્યવસ્થા ગોઠવી કાર્યક્રમને સફળ બનાવવા
ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ દાનની પણ સરવાણી વહાવી હતી. લગ્ન ગ્રંથિથી જોડાવવા આવેલ કન્યાઓને કરીયાવર પેટે જિલ્લા ભાજપ પ્રમુખે કન્યા દીઠ રૂ.૧૧૦૦ નું દાન કર્યુ હતુ. જ્યારે સમાજને સમૂહ લગ્નમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રૂ.૫૧,૦૦૦ નો ફાળો આપ્યો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર