બિહાર વિધાનસભા પરિસરમાં દારુની ખાલી બોટલો મળતા મામલો ગરમાયો છે. આ મુદ્દે હવે મોટી રાજનીતિ શરુ થઈ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી ધારાસભ્ય તેજસ્વી યાદવે સીએમ નીતિશ કુમારના રાજીનામાની માગ કરી છે. તેમણે કહ્યું કે વિધાનસભા પરિસરમાં દારુની ખાલી બોટલો મળતા મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેવું જાેઈએ.
अदभुत! बिहार विधानसभा परिसर के अंदर में शराब की बोतलें बरामद।
— Tejashwi Yadav (@yadavtejashwi) November 30, 2021
अभी शीतकालीन सत्र चल रहा है। CM के चेंबर से मात्र चंद कदम की दूरी पर विभिन्न ब्रांड की शराब ही शराब उपलब्ध।
कड़ी सुरक्षा के बीच चालू सत्र में ही विधानसभा में शराब मिल रही है, शेष बिहार की आप बस कल्पना कीजिए! शर्मनाक! pic.twitter.com/v1Sj2kiBkK
તેજસ્વી યાદવે લખ્યું કે કડક સુરક્ષાની વચ્ચે ચાલુ વિધાનસભામાં દારુની બોટલો મળે છે તો પછી બાકીના બિહારની કલ્પના કરો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ હવે રાજીનામું આપી દેવું જાેઈએ. તેમણે કહ્યું કે આ ઘણો ગંભીર મામલો છે. આખા બિહારમાં દારુ મળી રહ્યો છે રાજ્યમાં સંપૂર્ણ દારુબંધી હોવી જાેઈએ. તેજસ્વીએ આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો અને જણાવ્યું કે સીએેમ નીતિશે હવે હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી.
બિહાર વિધાનસભાના શિયાળુ સત્રનો આજે બીજાે દિવસ છે. પરંતુ ગૃહની કાર્યવાહી શરુ થતા પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે. દારુબંધીના મુદ્દે વિધાનસભામાં બે ધારાસભ્યો બાખડ્યાં હતા. આરજેડી ધારાસભ્ય ભાઈ વિરેન્દ્ર અને ભાજપ ધારાસભ્ય સંજય સરાગવીની વચ્ચે જાેરદાર ચડસાચડસી થઈ હતી.
(ન્યુઝ એજન્સી)