22 લોકો સામે કેસ નોંધાયો હતો જેમાંથી ત્રણ આરોપીના પહેલા જ મૃત્યું થઈ ચુક્યા હતા
મહારાષ્ટ્ર મોકલવામાં આવેલા સાગરદાણમાં કૌભાંડ આચરવાનો આરોપ મુકવામાં આવ્યોં હતો
Sohan Thakor -મહેસાણા તા. 21- દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને સાગરદાણ કૌભાંડ મામલે મહેસાણા કોર્ટે સાત વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યોં હતો. આ દરમિયાન તેઓને મહેસાણા સબ જેલમાં કેદી નંબર પણ આપવામાં આવ્યોં હતો. આ દરમિયાન વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓ દ્વારા આ સજા મામલે મહેસાણા સેશન્સ કોર્ટમાં જામીન માંગ્યાં હતા. જેમાં વિપુલ ચૌધરી સહિત તમામ 15ને મોટી રાહત મળી છે. મહેસાાણા સેશન્સ કોર્ટે સાગર દાણ મામલે સ્ટે આપવામાં આવ્યો હતો અને તમામ 15ના જામીન મંજૂર કરવામાં આવ્યાં હતા.

વિપુલ ચૌધરી મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પીર્વ એમડી હતા તે સમયે મહારાષ્ટ્ર મોકલવામાં આવી રહેલા સાગરદાણમાં કૌભાંડ આચરવાનો આરોપ હતો. આ કેસમાં વિપુલ ચૌધરી સહિત 22 લોકો સામે કેસ નોંધાયો હતો, જેમાંથી ત્રણ આરોપીના પહેલા જ મૃત્યું થઈ ચુક્યા છે, જ્યારે 19 આરોપીને કોર્ટે દોષી જાહેર કર્યા છે. જેમાંથી વિપુલ ચૌધરી સહિત 15ને 7 વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવી હતી તો ચારને શંકાનો લાભ મળતા 50 હજારના જામીન પર છોડવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ મહેસાણા સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરી સહિત તમામ 15ના જામીન મંજૂર કરવામાં આવતાં વિપુલ ચૌધરીના સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
સેશન્સ કોર્ટમાંથી આ 15ના જામીન મંજૂર કરાયા
- વિપુલ માનસિંહભાઈ ચૌધરી (તત્કાલીન ચેરમેન)
- જલાબેન (પૂર્વ વાઇસ-ચેરમેન)
- નિશિથ બક્ષી (પૂર્વ એમ.ડી.)
- પ્રથમેશ રમેશભાઈ પટેલ ( પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર)
- રશ્મિકાંત મોદી (પૂર્વ એકાઉન્ટ હેડ)
- ચંદ્રિકાબેન
- રબારી ઝેબરબેન
- જોઈતા ચૌધરી
- જયંતી ગિરધરભાઈ પટેલ
- કરશન રબારી
- જેઠાજી ઠાકોર
- વીરેન્દ્રસિંહ ઠાકોર
- ઈશ્વર પટેલ
- ભગવાન ચૌધરી
- દિનેશ દલજીભાઈ ચૌધરી


