ગરવી તાકાત, ગાંધીનગર તા. 10 – માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે પરીક્ષાને લગતા સાહિત્ય જિલ્લાના તમામ સેન્ટર પર સમયસર પહોંચી શકે તે માટેની બોર્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 
સમગ્ર મામલે પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થઈ રહી છે.ત્યારે આ પરિક્ષા માટે સાહિત્ય રવાના કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા 4 ઝોનમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગરૂમ તેમજ પેપર રવાનગી માટે પુરતો પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે.તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવામાં આવી રહી છે.દરેક પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય સેવાઓ મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.


