ગરવી તાકાત સુઈગામ : સમગ્ર ગુજરાતની અંદર લંબી વાયરસ ગાયોની ભરખી રહ્યો છે ત્યારે સુઇગામ.તાલુકાના.મોરવાડા ગામની અંદર લંપી વાયરસ ના કેસ વધારે ના ફેલાય. તેને ધ્યાને રાખીને યુવાનો દ્વારા આયુર્વેદિક દવાઓ નાખીને લાડુ બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા ત્યારે મોરવાડા ગામની અંદર અત્યારે લંપી વાયરસની અસર જોવા મળી રહી છે.
ત્યારે ગામના યુવાનો દ્વારા આ વાયરસને પહેલેથી જ રોકવામાં આવે તો ગામની અંદર જે ગાયોને લંપી વાયરસની અસર છે તેને અલગ રાખીને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી ત્યારે ગામની અંદર રખડતી ગાયોને લંપી વાયરસની અસર હોવાના કારણે ગામના લોકોએ આયુર્વેદિક દવા ને ખવડાવવામાં આવી હતી .ગૌ પ્રેમી ઠાકોર ઠાકરશીભાઈ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : નવીન ચૌધરી સુઈગામ


