દહેગામની દુર્ઘટનામાં મૃતકોના પરિવારને ર લાખ સહાયની મોદીની જાહેરાત, 5 દિવસમાં 15 લોકોના ડૂબવાથી મોત

September 14, 2024

ગરવી તાકાત, મહેસાણા તા. 14 – ગણેશ વિસર્જનમાં ડૂબવાથી દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે 8 લોકોના મોત થયા હતા. મેશ્વો નદીમાં ગણપતિની મૂર્તિ વિસર્જન કરવા ગયેલા યુવકોમાંથી 10 લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મોત થયા હતા. જે દૂર્ઘટનાના પગેલ PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું તેમજ મૃતકના સંબંધીને PMNRFમાંથી રૂપિયા 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.

દહેગામના વાસણા સોગઠી નજીક મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડુબ્યા 8 લોકો,  પાંચના મળ્યા મૃતદેહ, સમગ્ર પંથકમાં શોકનો માહોલ|8 people drowned in Meshvo  ...

PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના. વધુ એક ટ્વીટ કરી જાહેરાત કરી હતી કે, ગુજરાતના દહેગામમાં ડૂબી જવાની ઘટનામાં દરેક મૃતકના સંબંધીઓને PMNRF માંથી રૂપિયા 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.

ગુજરાતમાં 5 દિવસમાં કુલ 15 લોકોએ વિસર્જનમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો

અત્રે જણાવીએ કે, 8 મૃતકમાંથી 7 લોકો વાસણા સોગઢી ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે, જ્યારે અન્ય 1 કપડવંજ તાલુકાના વાધાવત ગામનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાને લઇને ચકચાર મચી છે. ગણેશ વિસર્જન જ્યારથી શરૂ થયું છે ત્યારથી યુવકોના ડૂબવાની ઘટના સામે આવી રહી છે. 8 તારીખથી લઇને ગઈકાલ સુધીના 5 દિવસમાં કુલ 15 લોકોએ વિસર્જનમાં ડૂબવાથી જીવ ગુમાવ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0