ગરવી તાકાત સાબરકાંઠા : ધારાસભ્ય રમણલાલ વોરાએ આગામી વસ્તી ગણતરીની કામગીરીને ધ્યાનમાં રાખીને નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી તેમણે જણાવ્યું કે વસ્તી ગણતરી માત્ર આંકડાકીય પ્રક્રિયા નથી પરંતુ દેશના વિકાસ, આયોજન અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણનો મજબૂત આધાર સાચી અને સંપૂર્ણ માહિતીના આધારે શિક્ષણ.

આરોગ્ય, માર્ગ-મકાન, પાણી, સફાઈ સહિતની વિવિધ જાહેર સુવિધાઓનું યોગ્ય આયોજન શક્ય બને આ માહિતી વિના યોગ્ય નીતિઓ બનાવવી મુશ્કેલ ધારાસભ્યએ તમામ નાગરિકોને સ્વઘોષણા કરીને વસ્તી ગણતરી દરમિયાન યોગ્ય વિગતો આપવા અનુરોધ કર્યો તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે દરેક પરિવાર દ્વારા.

આપવામાં આવતી માહિતી ગોપનીય રાખવામાં આવે અને તેનો ઉપયોગ માત્ર શાસકીય આયોજન માટે જ કરવામાં આવે તેમણે નાગરિકોને જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવી વસ્તી ગણતરી કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી આનાથી વિસ્તાર તેમજ દેશના સર્વાંગી વિકાસ માટે ચોક્કસ અને વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ બની શકશે.


