ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજમાં ગૌશાળા તેમજ પાંજરાપોળ ના સંચાલકો દ્વારા સરકાર દ્વારા રૂપિયા 500 કરોડ સહાય ની જાહેરાત ગત માર્ચ મહિનામાં કરી હતી પરંતુ હજુ સુધી યોજના નો અમલ કરવા માં ન આવતાં ગૌશાળા પાંજરાપોળ ના સંચાલકો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા અને કાંકરેજ મામલતદાર કચેરી શિહોરી ખાતે આવેદનપત્ર આપી ને તાત્કાલિક ધોરણે સહાય આપવા જણાવ્યું હતું
જેમાં કાંકરેજ તાલુકા ની 9 ગૌશાળા અને 4 પાંજરાપોળ ના સંચાલકો પાંજરાપોળ અને ગૌશાળા ના ફેડરેશન પ્રમુખ. ચીનુભાઈ શાહ એ જણાવ્યું હતું કે જો સરકાર તરફથી સહાય આપવામાં નહિ આવે તો પશુઓ ને સરકારી કચેરીઓ માં છોડી મૂકવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આ પ્રસંગે ચીનુભાઈ શાહ દિનેશભાઇ સોની. હસમુખભાઈ પટેલ. ધનેશ્વરભાઈ શાસ્ત્રી કચ્છ હરદાસભાઇ પટેલ ચાંગા કીર્તિભાઇ જોષી. શૈલેષભાઇ ઠક્કર સીતારામબાપુ બાબુભાઇ જોશી કાશીરામભાઈ રાયગોર નાનજીભાઈ પટેલ હેમંતભાઈ શાહ પાંચાભાઇ દેસાઈ.તેમજ કાંકરેજ તાલુકાની તમામ ગૌશાળા પાંજરાપોળો સંચાલકો બહોળી સંખ્યા ઉપસ્થિત રહીને આવેદન પત્ર આપીને સહાયની માંગણી કરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ


