આજીવન કેદ એટલે કેટલી સજા ? બંધારણ મુજબ 14 વર્ષથી ઓછી હોઇ શકે નહીં

December 31, 2022

આજીવન કેદને વધારી શકાય છે કે જ્યાં સુધી કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધીની કેદનો આદેશ પણ કરી શકે છે

ગરવી તાકાત, મહેસાણા – આજીવન કેદ એટલે આખી ઉંમરની જેલ, પરંતુ હજી પણ તમે ઘણી વખત જોયું હશે કે વૃદ્ધ વ્યક્તિ ફક્ત 14 વર્ષમાં જેલની બહાર આવે છે. જો આજીવન કેદની સજા આપવામાં આવે તો, કેદીએ આખું જીવન જેલની સળિયાઓ પાછળ વિતાવવું જોઈએ પણ તેવું કેમ નથી થતું.

ભારતના બંધારણમાં એવું લખ્યું નથી કે આજીવન કેદ એટલે 14 વર્ષની કેદ. તેણે કહ્યું કે અદાલતો ગુનેગારના ગુના મુજબ સજા કરે છે, પછી તે આજીવન કેદની સજા છે કે અન્ય કોઈ સજા. સુપ્રીમ કોર્ટે વર્ષ 2012 માં સ્પષ્ટ કર્યું હતું કે આજીવન કેદ એટલે આજીવન કેદ. પરંતુ તમારામાંથી ઘણાને ખબર નહીં હોય કે સજા રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવી છે.

સીઆરપીસીની કલમ 343 A હેઠળ ભારત સરકારને ગુનેગારને વધુ કે ઓછી સજા કરવાનો અધિકાર છે, પરંતુ બંધારણ મુજબ આજીવન કેદએ 14 વર્ષથી ઓછી હોઇ શકે નહીં. અને તેને વધારી શકાય છે કે જ્યાં સુધી કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધીની કેદનો આદેશ પણ કરી શકે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0