— કરણપુર ખોડિયાર માતાજી મંદીર ખાતે ત્રિદિવસય શતચંડી યજ્ઞ મહોત્સવ ધામ ધૂમથી ઉજવાશે :
ગરવી તાકાત મહેસાણા : કડી માં આવેલ શાકમાર્કેટ પાસે આવેલ કરણપુર ખોડીયાર માતાજીના મંદિર ખાતે ત્રણ દિવસ માતાજીનો શતચંડી યજ્ઞ મહોત્સવ યોજાશે જેમાં આજે પ્રથમ દિવસે સવારે વાજતગાજતે માતાજીના રથ
સાથે રાજ્ય ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્ધારા માતાજીની આ શોભાયાત્રામાં જોડાયા હતા અને દર્શનો લાભ લીધો હતો.

અને કડી ના અલગ અલગ વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી. જેમાં કરણપુર પાટીદાર પરીવાર ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને સમગ્ર પંથકમાં માં ખોડલ ના જયકાર થી ગૂંજી ઉઠ્યું હતું.
ખોડિયાર માતાજી ના આંગણે આજ સવારે થી યજ્ઞ નો પ્રારંભ થયો હતો જેમાં સાત યજમાનો આ શતચંડી યજ્ઞ માં લાભ લીધો હતો અને સમસ્ત કરણપુર પાટીદાર પરીવાર ના લોકો તથા મોટી સંખ્યામાં લોકો આ યજ્ઞ ના દર્શનો લાભ લેશે અને રાત્રી દરમ્યાન અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાશે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી