2 હજારની નોટ આરબીઆઇ પરત લેશે, માત્ર 30 સપ્ટેમ્બર સુધી જ આ નોટ માન્ય ગણાશે

May 19, 2023

સરકારનો મોટો નિણર્ય લીધો ૪ મહિનાની અંદર જ તમામ ૨ હજારની નોટ જમા કરાવવી પડશે  

નવી નોટો જારી કરવાનો હેતુ એ હતો કે નવી નોટો શક્ય તેટલી વહેલી તકે આખા દેશમાં ફેલાઈ જાય

નવી દિલ્હી તા. 19 – નોટબંધીના ૬ વર્ષ બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. આ દરમિયાન ૨૦૦૦ રૂપિયાની નોટોને લઈને એક મોટી વાત સામે આવી રહી છે કે ફરી એકવાર આ નોટો બજારમાં ઘણી ઓછી જાેવા મળી રહી છે. હવે સરકારે આ મામલે મોટો ર્નિણય આજે લીધો છે. ૪ મહિનાની અંદર જ તમામ ૨ હજારની નોટ જમા કરાવવી પડશે. આ સાથે જ ૨ હજારની નોટ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી જ માન્ય રહેશે. ૨૦૦૦ રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી ૨૦૦૦ રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ નોટ (૨૦૦૦ રૂપિયાની નોટ) ચલણમાં ન હોવાના બરાબર છે. આરટીઆઇ અનુસાર, વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ દરમિયાન ૨,૦૦૦ રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.

હાલમાં રિઝર્વ બેંક દ્વારા બજારમાં ૨, ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી રહી છે. પીએમ મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી દીધી હતી. તેના બદલામાં ૨૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી.

નવી નોટો જારી કરવાનો હેતુ એ હતો કે નવી નોટો શક્ય તેટલી વહેલી તકે આખા દેશમાં ફેલાઈ જાય, પરંતુ હાલમાં બજારમાં ૨૦૦૦ રૂપિયાની બહુ ઓછી નોટો દેખાઈ રહી છે. આરબીઆઈ પાસેથી મળેલી માહિતી મુજબ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં દેશભરમાં ચલણમાં ૨૦૦૦ રૂપિયાની નોટોનો હિસ્સો ઘટીને માત્ર ૧૩.૮ ટકા થઈ ગયો છે.
જાે આપણે નકલી નોટોની સંખ્યા વિશે વાત કરીએ, તો વર્ષ ૨૦૧૮ માં તે ૫૪,૭૭૬ હતી. વર્ષ ૨૦૧૯માં આ આંકડો ૯૦,૫૬૬ હતો અને વર્ષ ૨૦૨૦માં ૨,૪૪,૮૩૪ નોટો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0