જૈન મુનિશ્રીએ અક્ષય તૃતીયા-અખાત્રીજ વર્ષીતપના પારણાનું મહિમા વર્ણવ્યોં 

April 24, 2023
ઇક્ષુરસનું દાન અક્ષયફળ બન્યુ તે દિવસ એટલે અખાત્રીજ – જૈનમુનિ નયશેખર વિજયજી

ગરવી તાકાત, મહેસાણા તા. 24- ગુજરાતના ગાંધીનગર સમીપે આવેલ સોનારડા ગામે માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા એ અક્ષય તૃતીયા-અખાત્રીજ વર્ષીતપના પારણા અક્ષય તૃતીયા- અખાત્રીજ નો મહિમા ઇક્ષુરસનું દાન અક્ષયફળ બન્યુ.તે દિવસ એટલે અખાત્રીજ વૈશાખ સુદિ ત્રીજને અક્ષય તૃતીયાનું પર્વ ગણવામાં આવે છે. તેનો મહિમા પણ ઘણો મોટો છે.
આ અવસર્પિણી કાલમાં પ્રથમ રાજા પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી અનંત કોટિ કોટિ સાગરોપમ અગાઉ પરંપરાગત કરવામાં આવતો સર્વકાલીન પ્રભાવશાળી દીર્ઘતપ એટલે વર્ષીતપ કારણ કે વરશે પ્રભુની કૃપા ત્યારે વરસીતપ પૂર્ણ થાય છે.પાંચના સમન્વયે આ અદકેરો તપ સફળ થાય તપસ્વીની ભક્તિ અને તપસ્વીની અનુમોદનાએ પણ તપ-અંતરાય.કર્મ તોડવામાં શ્રેષ્ઠ સહાયક સાબિત થાય છે.આદિશ્વર દાદાને માત્ર મોઢે છઠ્ઠનો તપ જ હતો પરંતુ આંતરાયકર્મ પૂર્વ જન્મે કર્યો તેઓ આ જન્મમાં દીક્ષા ગ્રહણની સાથે જ ઉદયમાં આવ્યો.શ્રી ઋષભદેવ ભગવાને ફાગણ વદ ૮ ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પછી ભિક્ષા અર્થે લોકોને ત્યાં જવા લાગ્યા પણ એ ભદ્રપરિણામી લોકો સાઘુને કેવો આહાર વહોરાય તે જાણતા નહિ હોવાથી તેમની આગળ મણિ, માણેક,રત્નો,હાથી,ઘોડો,ગાય,બળદ આદિ અનેક વસ્તુઓ ધરવા લાગ્યા પ્રભુ સર્વતા ત્યાગી હોવાથી એ કોઇ વસ્તુને અડતા નહિ એ રીતે વિચરતા એક વર્ષથી પણ અધિક કાલ વ્યતીત થઇ ગયો.
ભગવાન ઋષભદેવ પુર્વભવમાં એક માર્ગે થઇને જતા હતા ત્યારે ધાન્યના ખળામાં બળદ અનાજ ખાઇ જતા હતા અને તેથી ખેડૂત તેને મારતો હતો.એ જોઇને તેમણે કહ્યું કે અરે મૂર્ખ ! આ બળદોને મોઢેથી બાંધ ખેડૂતે કહ્યું મને બાંધતા આવડતુ નથી તે વારે પોતે ત્યાં બેસીને પોતાના હાથે છીંકુ બાંધી બતાવ્યું.તે વખતે બળદે ત્રણસો સાઠથી અધિક નિશાસા નાખ્યા તેથી અનંતરાય કર્મ બંધાયું,તે કર્મ દીક્ષા લીધી તે જ દિવસે ઉદયમાં આવ્યુ તેથી પ્રભુને આ રીતે આહાર મળવામાં અંતરાય થયો.એક દીવસ ગજપુરનગર કે જયાં બાહુબલીજીના પુત્ર સૌમયશાના પુત્ર શ્રેયાંસકુમાર રહેતા’તા. ત્યાં શ્રી ઋષભદેવ ભગવંત પધાર્યા.તેમને જોઇ શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પુર્વે આરાધેલ સાઘુપણું યાદ આવ્યું તેથી સાઘુને કેવો આહાર અપાય તે જાણ્યું,
હવે તે જ વખતે ઇક્ષુરસના ૧૦૮ ઘડા આવેલા હતા.એટલે શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે આપ સૂઝતો આહાર ગ્રહણ કરવાની કૃપા કરો.પ્રભુએ તેને પ્રાસુક સમજી બે હાથનો ખોબો કરી તેને વહોર્યો અને પારણું કર્યું,શ્રેયાંસકુમારને અતિ આનંદ થયો અને દેવોએ ત્યાં પંચદિવ્ય પ્રકટ કર્યા,ઇક્ષુરસનું આ દાન શ્રેયાંસકુમાર ને અક્ષય ફળ આપનારૂ બન્યું.ત્યારથી એ દિવસ અક્ષય તૃતિયા પ્રસિઘ્ધથયો.આજે અનેક ભવ્યાત્માઓ વર્ષીતપ કરે છે અને તેનું પારણું વૈશાખ સુદિ ત્રીજના અખાત્રીજના દિવસે કરે છે. અખાત્રીજનો દિવસ સામાજીક ૫ર્વનો દિવસ છે.અન્ય લોકો પણ અખાત્રીજના દિવસને મોટુ પર્વ ગણે છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0