મહેસાણાના ઉચરપી ગામે ચૈત્રી માસમાં આઠ દિવસ માટે ભક્તની સમાધી  

March 24, 2023

ચૈત્રી માસમાં નવરાત્રિના આઠ દિવસ માટે ઉચરપીના ભક્તની અનોખી સાધના 

ચૈત્રી નવરાત્રી પર્વમાં ઉચરપી ગામના 52 વર્ષીય ભગવાનભાઈ ચૌધરી દ્વારા માતાજીની અનોખી ભક્તિ 

ગરવી તાકાત, મહેસાણા તા. 24 – ચૈત્રી માસમાં નવરાત્રિના આઠ દિવસ દરમિયાન ભક્તો માતાજીની સાધના આરાધના કરતાં હોય છે ત્યારે આવી જ કઠોર સાધનામાં લીન થયેલા એક માઇભક્તે આઠ દિવસ માટે આંખે પાટા બાંધી સમાધી લઇ સાધના કરી રહ્યા છે. દિવસ દરમિયાન માત્ર એક ગ્લાસ પાણી સાથે રહી આઠ દિવસ ઉપાસના કરે છે. માણસ એક દિવસ પણ અન્ન જળ વગર રહી ન શકે એવામાં મહેસાણાના એક માંઈ ઉપાસક ચૈત્રી નવરાત્રીમાં 5X5 ફૂટના ખાડામાં 8 દિવસ અન્નજળ ત્યાગ કરી અનોખી ઉપાસના કરી રહ્યા છે. પવિત્ર ચૈત્ર માસ એટલે દૈવી શક્તિની ઉપાસનાનું પૂર્વ. અને આ ચૈત્રી નવરાત્રી પર્વમાં મહેસાણાના ઉચરપી ગામમાં રહેતા 52 વર્ષીય ભગવાનભાઈ ચૌધરી માતાજીની અનોખી આરાધના કરી રહ્યા છે.

No description available.

માઈ ભક્ત ભગવાનભાઈ ચૌધરી ચૈત્રી નવરાત્રી ની એકમે 5×5 ના ખાડામાં આંખે પાટા બાંધી ઉતર્યા હતા. જે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી આઠમ સુધી કઠોર તપશ્ચર્યા કરશે. જે ખાડાને પણ ઉપરથી ઢાંકી દેવામાં આવ્યો છે. ચૈત્ર માસના 8 દિવસ આંખે પાટા બાંધી સમાધિમાં જમીનમાં રહી ઘોર તપશ્ચર્યા કરવી એ ખરેખર કઠિન કાર્ય છે.

No description available.

ઉચરપી ગામના માઈભક્ત ભગવાનભાઈ એ શરૂ કરેલી તપશ્ચર્યા ના દર્શન માત્ર માટે લોકો ઉમટી પડે છે. અગાઉ પણ ત્રણ થી ચાર વાર આ પ્રકારે ઉપાસના કરી ચૂક્યા છે. અને 8 દિવસની ઉપાસના બાદ ખાડા માંથી સ્વસ્થ રીતે બહાર નીકળી ચૂક્યા છે. ચૈત્રી એકમે દૂર દૂરથી આવેલ ભક્તોની હાજરીમાં જમીનના ખાડામાં ભક્તિમાં લીન થઈ માઈ ભક્ત ભગવાનભાઈ ચૌધરી દૈવી શક્તિની આરાધના કરી રહ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0