કાકવાડા નજીકના ગામોના બાળકો નદીના પાણીમાંથી જીવના જોખમે અભ્યાસ માટે પસાર થવા મજબુર

August 5, 2022

— તંત્રએ કહ્યું ટુંક સમયમા નદી પર કોજવે બનાવવાની કામગીરી હાથ ધરાશે :

ગરવી તાકાત પાલનપુર : અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીક થી પસાર થતી બનાસ નદી પાર ના ગામોમાં વસવાટ કરતા પરિવાર ના બાળકો ને અભ્યાસ  માટે ઘુટણ સમાં નદીના પાણીમાં થી જીવના જોખમે પસાર થવું પડે છે. કાકવાડા ગામમાં ધોરણ 1 થી 8 સુધી શાળા છે પરંતુ 206 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા મા 50 થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થાય છે  ત્યારે પશુપાલકો અને ગ્રામજનો પાણી મા થી પસાર થવા મજબુર બન્યા છે જોકે તંત્ર એ કહ્યું ટુંક સમય મા નદી પર કોજવે બનાવવાની કામગીરી હાથ ધરાશે.
દર વર્ષે જ્યારે વરસાદી માહોલ સર્જાય અને નદીમાં પાણી નું વહેણ ચાલતું હોય ત્યારે બાળકો એ અભ્યાસ કરવા માટે નદીના વહેણ માંથી માથે દફતર ઉપાડી નદીમા થી પસાર થવું પડે છે.વાલીઓ એ પણ પોતાના બાળકો ને જોખમી નદી પસાર કરાવી પડે છે પરંતુ નદીમાં ઘોડાપુર ની સ્થિતિ સર્જાય ત્યારે બાળકો એ ભણતર વગર રહેવા મજબુર બનવું પડે છે આ સમસ્યા વર્ષો થી ચોમાસા ની ઋતુ દરમિયાન સર્જાય છે નદીમા પાણી વધારે હોય એટલે વિદ્યાર્થીઓ ત્રણ માસ સુધી અભ્યાસ થી વંચિત રહે છે પરંતુ આજ દિન સુધી  આ સમસ્યા નો કાયમી ઉકેલ આવતો ના હોવાથી બાળકો સહિત નદી પાર વસવાટ કરતા પરિવાર ને ભારે સમસ્યા નો સામનો કરવો પડે છે
બનાસકાંઠા જિલ્લા માં જ્યાં દર ચોમાસામાં ભારે વરસાદમાં બાળકો જીવના જોખમે અભ્યાસ માટે શાળામાં જવા મજબુર બન્યા છે જ્યારે ભારે વરસાદ આવે અને વચ્ચે આવતી બનાસ નદી જો ચાલુ થઈ જાય તો બાળકો અભ્યાસ થી પણ ઘણા દિવસ વંચિત રહે છે કાકવાડા પ્રાથમિક શાળામાં નદી પાર વિસ્તાર માંથીબાળકો અભ્યાસ માટે આવે છે જે તમામ બાળકો ને નદીમાં વહેતા પાણી માંથી પસાર થવું પડે છે જ્યારે ગ્રામજનો કાકવાડા ગામ નજીક બનાસનદી ના પટમાં કોઝવે કે પછી નાળું બનાવવા માટે તંત્ર સહિત રાજકીય નેતાઓ ને અનેક વખત રજુઆત કરેલી છે પરંતુ આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી દર વર્ષે ચોમાસા ની ઋતુ માં અમારે જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે
નદીમાં પાણીથી વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બગડે જ છે સાથે સાથે નદી પર રહેતા અને કાકવાડા ગામમાં રહેતા પશુપાલકો પણ પરેશાન છે પશુપાલકોને પણ નદી પાર કરી અને આવનજાવન કરવી પડે છે કાકવાડા નદીના પટમાંથી અમીરગઢ જવા માટે 10 જેટલા ગામ સંકળાયેલા છે અને 10 જેટલા ગામોની અવરજવર છે જોકે નદી પર કોઝવે ન બનતા પશુપાલકો રાહદારીઓ અને ગ્રામજનો આ ત્રણેય અત્યારે તો મુશ્કેલીમાં છે કાકવાડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ નદીના પાણીમાંથી જીવના જોખમને અભ્યાસ કરવા માટે મજબૂર છે ત્યારે પશુપાલકોને રાહદારીઓને પણ એટલી જ મુશ્કેલી છે વર્ષોથી આ માગણી સંતોષાથી નથી અને દર વર્ષે ચોમાસામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે અને દર વર્ષે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે હવે જોવું એ રહ્યું કે વાત માત્ર કાગળ પર રહેશે કે પછી કામગીરી થશે તે જોવાનું રહ્યું.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0