ગરવી તાકાત પાલનપુર : વડગામ તાલુકાના મુમનવાસ નજીક આવેલ પાણિયારી આશ્રમ કે જ્યાં ચોમાસાની
ઋતુ દરમ્યાન કુદરતી સૌદર્યનો અનેરો નજારો જોવા મળે છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા અને સામાન્ય વરસાદ થતાં ડુંગરો પર આવેલા વૃક્ષો લીલા બનતા જાણે ડુંગરો પર લીલી ચાદર પથરાઈ હોય તેવો અદ્ભૂત નજારો જોવા મળે છે.
ઋતુ દરમ્યાન કુદરતી સૌદર્યનો અનેરો નજારો જોવા મળે છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા અને સામાન્ય વરસાદ થતાં ડુંગરો પર આવેલા વૃક્ષો લીલા બનતા જાણે ડુંગરો પર લીલી ચાદર પથરાઈ હોય તેવો અદ્ભૂત નજારો જોવા મળે છે.મુમનવાસ નજીક આવેલા પાણિયારી આશ્રમ પર ગુરૂ મહારાજના પર્વત તરીકે ઓળખાતા ડુંગર પરથી લેવામાં આવેલ આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત કુદરતી સૌંદર્યનું નજરાણું પૂરું પાડી રહ્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા– પાલનપુર


