ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના રાધનપુર રોડ પર સહજ ફ્લેટ સામે આવેલા મંગલ દર્શનફ્લેટનીગટરની ત્રણ કુંડીઓ છેલ્લા કેટલાક દિવસોથી ઊભરાઇ રહી અને તેનું ગંદુ પાણી મંગલમૂર્તિ ટાઉનશીપના રસ્તામાં ભરાતાં કીચડ થતાં મચ્છરોનો ઉપદ્રવ થયો જેને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવો રોગચાળો ફેલાવાની ભીતિ સાથે મંગલમૂર્તિ ટાઉનશીપની મહિલાઓએ.
![]()
મનપામાં મોરચો માંડ્યો અને સત્વરે ગટરની કુંડીઓ સાફ કરાવી ગંદકી હટાવવા ઉગ્ર માગણી કરી. ડેપ્યુટી મ્યુ.કમિશનર સમક્ષ રજૂઆતકરતાં મહિલાઓએ ગંદા પાણી ભરાતાં અમારે તેમાંથી જ અવરજવર કરવાની રોગચાળો થાય તો જવાબદારી કોની તેવા સવાલ કર્યા મહિલાઓની રજૂઆતના પગલે તરત ડ્રેનેજ શાખાના ઇજનેરને સ્થળ ચકાસણી માટે રવાના કરાયા.

સાંજે સોસાયટીના રહીશોએ કહ્યું કે, મનપાના ઇજનર આવીને ગયા આખી લાઈન ચેક કરવાની હોય જેટિંગથી ચકાસણી કરશે કે ગટરનું પાણી કઇ લાઇનથી જઈ રહ્યું ઉલ્લેખનિય છે કે, આ રોડ પર ગટરલાઇન નથી. પરંતુ વર્ષો પહેલાં પંચાયત વખતે સોસાયટી રાહે આંતરિક લાઇન નેટવર્ક હોઇ શકે છે.


