રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર વિવાદ મામલે ખુલાસો કર્યા
મારી સરકાર હતી ત્યારે અમિત ચાવડા ક્યાં હતા? લાંઘા કેસની ફાઇલમાં મેં જ મારા હસ્તાક્ષર તપાસ કરવા લખ્યું છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 24 – ગાંધીનગરમાં હેતુફેર કરીને પાંજરાપોળની જમીન વેચવાના કથિત કૌભાંડમાં લાંઘાએ કરેલા કરોડાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસે કરેલા આક્ષેપો બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર વિવાદ મામલે ખુલાસો કર્યા છે. વિજય રૂપાણીએ લાંઘાએ કરેલા કરોડાના ભ્રષ્ટાચાર કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. વિજય રૂપાણીએ વિપક્ષ નેતા અમિત ચાવડાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગા સામે મેં જ તપાસ બેસાડી હતી. કોંગ્રેસને કૌભાંડોની બેતાજ બાદશાહ ગણાવી હતી.

લાંઘાએ કરેલા કરોડાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુજરાત કોંગ્રેસે વિજય રૂપાણી પર આક્ષેપો કર્યા હતા. અમિત ચાવડાએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ રાજ્યમાં ગાય અને હિન્દૂના નામે મત માગીને જીત હાંસલ કરે છે. રાજકારણ અને બિલ્ડર ભેગા મળીને ગાંધીનગર જિલ્લામાં 10 હજાર કરોડનું જમીન કૌભાંડ આચરેલ છે. ગાય માટે ગોચર જમીન નથી પરંતુ ગાયના મુખમાંથી જમીન પચાવી પાડી છે. ગાંધીનગરના દસણા ગામે જમીન હડપ કરવાનો કૌભાંડ સામે આવ્યો છે. કોઈપણ પરવાનગી વગર જમીનનો પટ્ટો રદ કરવામાં આવ્યો. ગુજરાત હાઈકોર્ટે અને જનરલ એડવોકેટ આપેલા અભિપ્રાય પણ ફગાવ્યા હતા. મામ નિયમો સાઈડ રાખીને કૌભાંડ કરવામાં આવ્યું છે. જેમાં કલેક્ટર સહિત RAC સહિત મદદનીશ ચિટનિશની કૌભાંડ કરવાની હિંમત નથી, પરતું તેમના પાછળ રાજકીય નેતાઓ જવાબદાર છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, રોજબરોજ સરકારની દેખરેખ હેઠળ કૌભાંડ થયું છે. વર્ષ 2013થી કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. અભિપ્રાયમાં પણ જણાવ્યું હતું કે નિયમોના વિરુદ્ધ છે. ટ્રસ્ટની પરવાનગી લેવામાં આવી નથી, ગળતીયાનો હક્ક પણ છીનવાયો છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ભ્રષ્ટાચાર ચાલુ રાખ્યો છે. બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દીધા છે. એગ્રિકલ્ચરની નીતિ નિયમો સાઈડમાં મૂકી દીધા છે. એગ્રિકલ્ચર ઝોન ફેરવીને વાણિજ્ય ઝોનમાં ફેરવ્યો છે. આ પ્રકરણ વર્ષોથી ચાલતું હતું તો તેની સામે કેમ પગલાં ભર્યા નહિ. માત્ર અધિકારીઓને દોષિત કેમ કરવામાં આવ્યા. અન્ય કોઈ રાજકીય માથું સામે આવ્યું કેમ નહિ તેવો ચર્ચાનો વિષય બન્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ સુમોમોટો કરવાની કોંગ્રેસે માંગણી કરી હતી. સરકાર જમીનમાં શ્રી સરકાર દાખલ કરે. જમીન કૌભાંડમાં પુર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે કેમ ફરિયાદ ન કરવામાં આવી. જમીનને મુળ સ્થિતિએ લાવી તાત્કાલિક સરકારે જમીનનો કબજો લઈ જમીન શ્રી સરકાર કરવાની કોંગ્રેસે માંગણી કરી છે.


