અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

થરાદના નારોલી ગામમાં ગુરૂપુષ્ય-યોગમાં કુળદેવી કમલેશ્વરી માતાજી દેવસ્થાન જગ્યાના વિવિધ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરાયું

October 30, 2021
Tharad Naroli
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ નારોલી ગામમાં ગુરુવારના ગુરુપુષ્ય-યોગમાંજ કુળદેવી કમલેશ્વરી માતાજી દેવસ્થાન જગ્યાના વિવિધ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મંદિરના વિવિધ  વિકાસકાર્યોની રૂપરેખા તૈયાર કરવામાં આવી. આજના આ પાવન-પ્રસંગે  કુળદેવી કમલેશ્વરી માતાજી દેવસ્થાન ભૂમિ-દાનના દાતા દિનેશકુમાર લવજીભાઈ ત્રિવેદી હાલ:રહે  મુરલીધર સોસાયટી-થરાદના વરદ હસ્તે વડીલોની પ્રત્યક્ષ હાજરીમાં  કમલેશ્વરી દેવસ્થાન જગ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ ભૂમિ-દાનના દાતા તરીકેનો 151000/-નો ચેક તેમના જ પુત્ર ચિરંજીવી વંશ દિનેશકુમાર ત્રિવેદીના વરદ-હસ્તે દેવસ્થાન માટેની જગ્યા ઉપર જ વડીલોને આપવામાં આવ્યો. ત્યારબાદ  દિનેશભાઇ વરદ-હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ઉપસ્થિત મહેમાનોમાં વડીલ તરીકે શ્રી લવજીભાઈ ત્રિવેદી,કાનજીભાઈ ત્રિવેદી,ત્રમ્બકલાલ ત્રિવેદી,નારણલાલ અંબારામ ત્રિવેદી,બાબુલાલ ગૌરીશંકર ત્રિવેદી,,બાબુલાલ નારણલાલ ત્રિવેદી,નાગજીભાઈ ગિરધરલાલ ત્રિવેદી તેમજ શ્રી કમલેશ્વરી દેવસ્થાન સેવા ટ્રસ્ટ-નારોલીના પ્રમુખશ્રી જગદીશભાઈ ત્રિવેદી,ઉપ-પ્રમુખ હસમુખભાઈ ત્રિવેદી,તેમજ યુવા-મિત્રમંડળ નારોલીના સર્વે મિત્રોએ  કુળદેવી કમલેશ્વરી માતાજી-નારોલી મંદિરના ખાતમુહૂર્તમાં હર્ષ-આનંદ-ઉલ્લાસભેર હાજરી આપી હતી. આગામી દિવસોમાં દેવસ્થાન ટ્રસ્ટનો વિકાસની રૂપરેખા પ્રમુખશ્રી જગદીશભાઈ લવજીભાઈ ત્રિવેદી દ્વારા રજૂ કરવામાં આવી હતી.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:34 pm, Feb 10, 2025
temperature icon 20°C
clear sky
Humidity 24 %
Pressure 1015 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 8 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:16 am
Sunset Sunset: 6:32 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0