પાલનપુર નગરે માનવતાના મસીહા જૈનાચાર્ય પૂજયશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 9મી પૂણ્યતિથિ યોજાઈ

July 12, 2022

ગરવી તાકાત પાલનપુર :  પાલનપુર નગરે શ્રી તપાગચ્છા જૈન ઉપાશ્રયના પ્રાંગણે સૌપ્રથમવાર તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ. આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 9મી પૂણ્યતિથિ યોજાઈ. જેમાં પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ની પાવનકારી નિશ્રામાં યોજાયેલ.ગુરુદેવ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના તસ્વીર પર ફૂલની માળા ચડાવામાં આવેલ. ત્યારબાદ દીપ પ્રગટય અને માંગલિક- પ્રવચન દ્વારા ગુરુ ગુણાનુવાદ કરવામાં આવેલ.

ગુરૂદેવના ફોટા પર ફૂલનો હાર ચડવાનો લાભ શ્રીમતિ નેહાબેન ભાવેશભાઈ પુજારા- પાલનપુર,મુનિરાજોનું ગુરુપૂજન અને ચાતુર્માસ દરમ્યાન ભીમસેન ચરિત્ર ગ્રંથનું વાંચન થશે તો તે ગ્રંથ વોહોરવાનો લાભ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ-પાલનપુર શ્રીમાન હરેશભાઇ ચૌધરીએ લીધેલ. ગુરૂદેવના ફોટા પર ગુરૂપૂજન કરવાનો લાભ શ્રીમતિ કવિતાબેન કુલીનભાઇ દેઢિયા-મુંબઇ પરિવારે લાભ લીધેલ. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલ પ્રમુખશ્રી જીલ્લા પંચાયત -પાટણ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા,સદભાવના ગ્રુપ ટ્રસ્ટ-પાલનપુર શ્રી હરેશભાઇ ચૌધરી,શ્રીમતિ કવિતાબેન દેઢિયા,પૂર્વ ચીફ એન્જિનિયર શ્રીમાન એલ.એ ગઢવી, કોર્પોરેટર-પાલનપુર શ્રી દેવેન્દ્રભાઈ રાવલ,તપાગચ્છા જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ શાહ તથા મુંબઇ,કચ્છ, અમદાવાદ,પાટણ,થરા વિગેરેથી ગુરુ ભક્તો તથા પાલનપુર જૈન સંઘના ભાવિકો ઉપસ્થિત રહેલ.

પાલનપુર ખાતે ગુરૂદેવની 9મી પુણ્યતિથિ નિમિત્તે ચાર મહિના માટે પાણીની પરબ બનાવવામાં આવશે.જેનો સંપૂર્ણ લાભ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ-પાલનપુર શ્રીમાન હરેશભાઇ ચૌધરી પરિવારે લીધેલ.આ પ્રસંગે સંગીતકાર સુશીલ શાહે સંગીતની રમઝટ જમાવેલ અને પંડિતવર્ય શુભમ કટારીયા એ સભા સંચાલન કરેલ.માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની 9મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધિ માનવતાના કાર્યો કરવામાં આવેલ.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0