હાલમાં જ ઉત્તર પ્રદેશમાં કથીત લવ જેહાદના વિરૂધ્ધમાં જે કાયદો લાગુ કરાયો હતો તથા હરિયાણા તથા મધ્યપ્રદેશમાં આવો કાયદો પસાર કરવા પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. એવો જ એક પ્રસ્તાવ ગુજરાતમાં પણ પસાર કરવામાં આવે તેવુ મહેસાણા જીલ્લાના કડી શહેરના એસ.પી.જી.(SPG) ના સભ્યોએ કડી મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યુ હતુ ગુજરાતમાં પણ લવ જેહાદ મામલે કાનુન પસાર કરવામાં આવે. સમગ્ર દેશમાં જ્યારે ખેડુત સંગઠનો ત્રણ વિવાદીત કૃષી બીલનો વિરોધ કરી રહ્યા છે એવામાં તેના સમાનાંતર અલગ અલગ સંગઠનો કથીત લવ જેહાદના મામલે આવેદનપત્રો આપી તથા પ્રદર્શનો કરી લવ જેહાદનો કાયદો પસાર કરવાની માંગ કરી રહ્યા છે.
લવ જેહાદના મામલે કાનુન બનાવવામાં આવે આ માંગ સાથે ત્રીપુરામાં પણ હીન્દુ સંગઠને વિરોધ પ્રદર્શન કરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 8 જામ કર્યો હોવાની ખબરો મળી રહી છે.
કડી શહેરમાં આવેલ સરદાર પટેલ સેવાદળ(SPG) ગ્રુપ દ્વારા કડી મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યુ હતુ કે, અમારૂ ગ્રુપ ઘણા સમયથી દિકરીઓને લવજેહાદથી બચાવવા પ્રયત્નો કરતુ રહેતુ હોય છે. જે મામલે તેમને મામલતદારને રજુઆત કરી હતી. તેમનેે વધુમાં જણાવ્યુ હતુ કે, હીન્દુ સમાજની દીકરીઓને લવ જેહાદના ષડયંત્રમાંથી બચાવવા માટે એક રસ્તો છે કે લવ જેહાદ વિરૂધ્ધ એક કાનુન બનાવવામાં આવે. SPG ના જણાવ્યા અનુસાર લવ જેહાદની વિચારાધારાથી પ્રેરાયેલ વ્યક્તિઓ તેમના આકાઓનુ માર્ગદર્શન હેઠળ હીન્દુ દિકરીઓને પોતાની જાળમાં ફસાવી તેમને દુરઉપયોગ કરે છે.
એસ.પી.જી. દ્વારા અપાયેલ તેમના આ આવેદનપત્રમાં કોઈ આંકડાકીય માહીતી નહોતી આપી જેમાં જણાવાયુ હોય કે ગુજરાતમાં અત્યાર સુધી કેટલા કેસ લવ જેહાદ જેવા મામલે નોધાયા છે. જો આ સંગઠન ઠોસ આંકડા રજુ કરતા હોય તો ગુજરાતની સંવેદનશીલ રૂપાણી સરકારને લવ જેહાદ મામલે કાનુન પસાર કરવા સરળતા પડશે.