T20 વર્લ્ડ કપ બાદ રોહીત શર્માને ટીમ ઈન્ડીયાની કેપ્ટનશીપ મળી શકે છે – અગાઉ કોહલીએ કપ્તાની છોડવાની કરી હતી જાહેરાત !

October 1, 2021

આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ભારતના આગામી વનડે અને ટી-20 કેપ્ટન બની શકે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ ટી૨૦ વર્લ્ડ કપ બાદ ટી-20ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. વિરાટ કોહલી 2021 ટી૨૦ વર્લ્ડ કપ બાદ ટી-20ની કેપ્ટનશીપ છોડી દેશે. વિરાટ માટે હાલ સમય સારો નથી. એવી અટકળો હતી કે બીસીસીઆઇ વિરાટ કોહલીથી નારાજ હતું જેના કારણે વિરાટ કોહલીએ આ પગલું ભરવું પડ્યું.

દરેક કેપ્ટનના આવવાથી ટીમમાં મોટા ફેરફાર થતા હોય છે. ટીમ ઈન્ડિયામાં પણ એવા ૩ ખેલાડીઓ છે જે રોહિત શર્માના આવતા જ પોતાની જગ્યા ગુમાવી શકે છે. રોહિત શર્મા જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન બને તો યુવા બેટ્‌સમેન ઈશાન કિશનને વિકેટકિપર બેટ્‌સમેન તરીકે ટી-20 અને વનડે ટીમમાં સ્થાન મળી શકે છે. ઈશાન કિશન મુંબઈની ટીમમાં રોહિત શર્મા સાથે રમે છે અને આવામાં રોહિત જાે કેપ્ટન બને તો ઋષભ પંતની જગ્યા જાેખમાઈ શકે છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર નવદીપ સૈની ટી-20, વનડે અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં સામેલ રહે છે. નવદીપ સૈનીને હજુ સુધી જાેકે ટીમ ઈન્ડિયામાં કઈ ખાસ તક મળી નથી. જાે રોહિત શર્મા કેપ્ટન બને તો નવદીપ સૈનીની જગ્યાએ તે કોઈ બીજા બોલરને ટીમમાં તક આપી શકે છે.

આ પણ વાંચો – IPL 2021 : પંજાબ કિંગ્સના એક ખેલાડી વિરૂધ્ધ મેચ ફિક્સિંગના આરોપ હેઠળ તપાસ શરૂ કરાઈ !

ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ વિરાટ કોહલીના પસંદગીના ખેલાડીમાંથી એક છે. વોશિંગ્ટન સુંદર આરસીબીની ટીમમાં પણ વિરાટ કોહલી સાથે રમે છે. વોશિંગ્ટન સુંદર ટી-20, વનડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમે છે. રોહિત શર્મા જાે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બને તો વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ક્રુણાલ પંડ્યા કે પછી જયંત યાદવની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0