કાંકરેજના પુર્વ ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરાનુ આકસ્મીક અવશાન, પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ

November 3, 2020

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના પુર્વ ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરા અને ઠાકોર કોમ્યુનીટીના નેતાનુ આજે આકસ્મીક અવશાન થયુ છે. તેઓ મુળ કાંકરેજ તાલુકાના વડા ગામના વતની હતા. તેમના અવશાનથી સમગ્ર ઠાકોર કોમ્યુનીટીમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ધારસીભાઈ ખાનરપુરા 1990માં પ્રથમ વખત જનતાદળ માથી ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ચુંટાઈ આવ્યા હતા.

ધારસીભાઈ ખાનપુરા અત્યાર સુધી કાંકરેજની શીટ ઉપરથી 4 વખત ચુંટાઈ આવ્યા હતા. જેમાં 1990 માં જનતાદળ માંથી અને 1995,2002,2012 માં તેઓ કોન્ગ્રેસ પક્ષમાથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. વર્ષ 2007 માં ધારસીભાઈ ખાનપુરા ભાજપના બાબુભાઈ દેસાઈ સામે માત્ર 840 વોટથી હાર્યા હતા. ધારસીભાઈ ખાનપુરાનુ વર્ચસ્વ કાંકરેજ શીટ ઉપર હતુ. જેમા ઠાકોર કોમ્યુનીટીના નેતા તરીકે તેઓની ઓળખ બનવા પામી હતી. 

 તેમના અવશાનને લઈ ખુદ પી.એમ નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા તેમને યાદ કર્યા હતા અને તેમની આત્માની શાંતી માટે પ્રાર્થના કરી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0