વિસનગરમાં અષાઢી બીજની રથયાત્રા અને મહોરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઇ‎…

June 26, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ ત્યાર બાદ આવતાં મહોર્રમ પર્વને લઇ મંગળવારે સાંજે હરિહર સેવા મંડળ ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું. જેમાં ચાલુ વર્ષે અમદાવાદ પ્લેન ક્રેશમાં વિસનગરના પાંચ લોકોના નિધન થયા હોઇ ગંજી વિસ્તારથી લાલ દરવાજા સુધી ડીજેનો અવાજ ઓછો કે બંધ રાખવા સહિતનાં રચનાત્મક સૂચનો અગ્રણીઓ દ્વારા કરાયાં.

Ashadi Beej 2025: ક્યારે છે અષાઢી બીજ, જાણો તેનું રથયાત્રા સાથેનું કનેક્શન  - Ashadi Beej 2025: Date & Its Jagannath Rath Yatra Connection

કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રામાં જોડાતા વાહનોને નંબર આપવા, ચાલુ વર્ષે મોટો રથ રખાયો હોવાથી ઉનાળામાં બજારોમાં બાંધેલા કપડાં દૂર કરવા, વિકાસના કામો ચાલી રહ્યા હોવાથી રસ્તા સરખા કરવા તેમજ ભગવાનના મોસાળા દરમિયાન માનવ મહેરામણ વધુ હોવાથી પટણી દરવાજાનું ડાયવર્જન આપવા સહિતનાં સૂચનો અગ્રણીઓએ કર્યાં.

Visnagar: Jagannath Rathyatra, Moharam Preparations, Peace Meeting | વિસનગરમાં  રથયાત્રા અને મોહરમની તૈયારી: શાંતિ સમિતિએ ડીજે અવાજ મર્યાદિત કરવા સહિત અનેક  નિર્ણયો લીધા ...

તેમજ કાંસા એન એ વિસ્તાર હવે વિસનગરમાં આવી ગયો હોવાથી આ ગામી વર્ષોમાં રથયાત્રાનો રૂટ લાંબો કરવા માટે પણ સૂચન કરાયું. જ્યારે મહોર્રમ પર્વે નગરપાલિકા દ્વારા સ્વાગત કરવામાં આવે તેવું સૂચન કરાયું. બંને પક્ષોના અગ્રણીઓએ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઊજવવાની ખાત્રી આપી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0